દાહોદ, 19 જૂન (હિ.સ.) આવનાર 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે અને સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે જેનાં ભાગ રૂપે દાહોદમાં પણ સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે આ વર્ષે વિશ્વ યોગ દિવસ વિશાળ જ્ણ ભાગીદારી સાથે ઉજવવાનું ભારત સરકાર ધ્વવરા નક્કી કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા યોગા ફોર વન અર્થ વન હેલ્થ ના નારા ની થીમ ઉપર ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે તદ ઉપરાંત દાહોદ જિલ્લાના વિવિધ આઇકોનિક સ્થળો ની પસંદગી ઉજવણી માટે નક્કી કરવામાં આવી છે આજે આ અંગે ની એક પ્રેસમિટ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે ની અધ્યક્ષતામાં સરદાર પટેલ સભા ખંડ ખાતે રાખવામાં આવી હતી જ્યાં આ તમામ માહિતી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી હતી અને તેઓ એ મીડીયને કહ્યું હતું કે, આપણા માધ્યમથી હું લોકોને આમંત્રણ આપુ છું અને આશા રાખું છું કે 21જૂને આ કાર્યક્રમમાં વધુ ને વધુ લોકો જોડાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah