સુરત, 19 જૂન (હિ.સ.)- રાંદેર રોડ, પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય સોફ્ટવેર ડેવલોપર પરિણીતા સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. સાયબર માફિયાઓએ પરિણીતાને ફોન કરી કુરીયર કંપનીના સર્વિસ વિભાગના કર્મચારી અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી મુંબઈથી ઈરાન જતા પાર્સલમાં ડ્રગ્સ અને દવાનો જથ્થો છે તેમજ તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો મની લોન્ડરીંગના ગુનામાં ઉપયોગ થયો હોવાનું કહી ધરપકડ કરવાનો ભય બતાવી સ્કાયપ એપ્લીકેશન મારફતે પાંચ કલાક ડિજીટલ ઍરેસ્ટ કરી તેમની પાસેથી ૧૯.૯૧ લાખ પડાવ્યા હતા.
સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રાંદેર રોડ, પાલનપુર જકાતનાકા, રાજવર્ડ કોમ્પલેક્ષની સામે, વિવેકાનંદ ટાઉનશીપમાં રહેતા ૨૯ વર્ષીય પ્રણિતા દત્તાત્રેય શ્રીરંગ શિંદે સોફ્ટવેર ડેવલોપર છે જયારે તેમના પતિ હજીરાની ઍલ ઍન્ડ કંપનીમાં ઈજનેર છે. પ્રણિતાબેનને ગત તા ૨૮ નવેમ્બર ૨૦૨૪ના રોજ ઘરે હતા તે વખતે બપોરના પોણા ત્રણેક વાગ્યે અજાણ્યા મોબાઈલ નંબરથી તેમના ઉપર કોલ આપ્યો હતો. કોલ કરનાર અજાણ્યાઍ પોતાની અોળખ ફેડેક્સ કુરીયર સર્વિસ વિભાગ મુંબઈથી શિવમ પાઠક તરીકે જયારે સ્કાઈપ આઈ.ડી ૧૦૫ ઍમઍચ મુંબઈ ઍનસીઆરબી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી પોલીસ ઈન્સ્પેકટર પ્રદિપ સાવંત તરીકે આપી હતી. આ બંને સાબયર માફિયા્અો પ્રણિતાબેનને તમારુ પાર્સલ અમારા ફેડેક્સ કુરીયર સર્વિસ કંપની મારફતે મુંબઈથી ઈરાન જઈ રહ્નાં છે. જેમાં તમારા આધારકાર્ડ અને મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે.આ પાર્સલનમાં દવાઓ તેમજ ૩૦૦ ગ્રામ ઍમ.ડી. ડ્રગ્સ છે કુરીયરનો ચાર્જના રૂપિયા ૮૭,૬૪૦ આઈસીઆઈસીઆઈ બેન્કના ડેબિટ કાર્ડ ચુકવાયા છે.આ પાર્સલ ઉપર મુંબઈ પોલીસમા ઍક ફરિયાદ નોîધાઈ છે. તેમ કહી પ્રદિપ સાવંત તેમજ તેના મળતીયાઓ સાથે વાત કરાવી હતી.
આ ટોળકીઍ પ્રણિતાબેનને તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યકિતઍ ફ્રોડ કર્યો છે. તે અંગે તમારી તપાસ કરવા તમારી ફરિયાદ લેવી પડશે તેમ કહી મોબાઈલમાં સ્કાઈપની ઓ નલાઈન ઍપ્લીકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશ કરાવ્યું હતું. આ ઍપ્લીકેશન લોગઈન કરતા જ મુંબઈ ઍનસીઆરબી નામની આઈ.ડી બનાવડાવી તેમની ડીજીટલ ઍરેસ્ટ કર્યા હતા. ટોળકીઍ પ્રણિતાબેનને વિડીયો કોલ ઉપર સાંજના સાત વાગ્યા સુધી ઍટલે પાંચ કલાક ડીજીટલ ઍરેસ્ટïમાં રાખી તેમને તામારા આધાર કાર્ડ દ્વારા મુંબઈમાં ત્રણ બેન્કમાં ખાતા ખોલવામાં આવ્યા છે. અને આ બેન્ક ઍકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરીંગના કેસમાં કરવામાં આવ્યો છે. કહીï ઈડી, આરબીઆઈ તેમજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ખોટા લેટરો મોકલી ડરાવી ધમકાવી તેમની પાસેથી બેન્કની માહિતી મેળવી તમારા ખાતામાં ગેરકાયદે ટ્રાન્જકેશન થયા છે કે કેમ તે જાણવાïના બહાને ૧ લાખ ટ્રાન્સફર કરવા માટે કીધુ હતું પરંતુ પ્રણિતાબેનના ખાતામાં માત્ર બે હજાર રૂપિયા હોવાથી માફિયાઅોઍ પ્રણિતાબેન પાસે કસ્ટમર કેરમાં ફોન કરાવી ખાતુ બંધ કરાવડાવાયું હતું ત્યારબાદ તેમની પાસે મોબાઈલમાં બેન્કની ઍપ્લીકેશન મારફતે રૂપિયા ૧૯.૯૧ લાખની ઈન્સર્ટ લોન લેવડાવી હતી અને ખાતામા જમા થયેલા આ રૂપિયાની ઍન્ટ્રી લીગલ છેકે અનલીગલ ચેક કરવાના બહાને અન્ય ઍકાઉન્ટમાં ટ્રાન્સફર કરાલી લીધા હતા.
પ્રણિતાબેન શિંદેને તેમની સાથે સાયબર ક્રાઈમ ફ્રોડ થયો હોવાનો ખ્યાલ આવતા ગતરોજ આ અંગે સાયબર ક્રાઈમïમાં ફરિયાદ નોîધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે