પાટણ, 19 જૂન (હિ.સ.) : પાટણ શહેરના વોર્ડ નં. 11ના નિર્મળ નગર વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીના કારણે રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રેલવે નાળાની બાજુ નગરપાલિકા દ્વારા થયેલા ખોદકામ બાદ સમયસર તેનો પરિપૂર્ણ ન થયો હોવાને કારણે સમસ્યાઓ ઊભી થઈ છે.
ગઈકાલે થયેલા વરસાદ બાદ રસ્તા પર કાદવ-કીચડ જામી જતા માર્ગ બિનઉપયોગી બની ગયો છે. શાંતિ નિકેતન સ્કૂલની વિદ્યાર્થી મયુરી સાયકલ લઈને પસાર થતી વખતે કાદવમાં પડી જતાં તેના કપાળને ઈજા પહોંચી હતી.
સ્થાનિક રહીશો કહે છે કે નગરપાલિકા દ્વારા કાદવ દૂર કરવામાં આવ્યું નથી, જેથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી છે. રહીશોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર