નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણીઃ દર્દીઓને કીટનું વિતરણ કરાયુ
સુરત, 19 જૂન (હિ.સ.)- દર વર્ષે ૧૯મી જૂને “વિશ્વ સિકલ સેલ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દર્દીઓને સ્નેહભેર કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત દર્દીઓ અને તેમના પરિવા
Surat


સુરત, 19 જૂન (હિ.સ.)- દર વર્ષે

૧૯મી જૂને “વિશ્વ સિકલ સેલ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ

નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં

દર્દીઓને સ્નેહભેર કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત દર્દીઓ અને તેમના

પરિવારજનોને રોગ અટકાવવા અંગેની માહિતી આપવામાં આવી હતી.

ગૌરવ વાત તો એ છે કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલને ભારત

સરકાર દ્વારા સિકલ સેલ માટે “Centre of Competence” તરીકે પસંદ કરવામાં આવી છે. આ માટે

ખાસ મોલિક્યુલર ડાયગ્નોસિસ લેબ કાર્યરત રહેશે, જેના દ્વારા રોગનું નિદાન વહેલું

અને ચોકસાઈભર્યું શક્ય બનશે.

સિકલ સેલ એનિમિયાએ વારસાગત રક્તજન્ય

રોગ છે, જે મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતા

વિસ્તારોમાં જોવા મળે છે. ભારતના ગુજરાત, ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આ રોગના

દર્દીઓની નોંધણી થઈ છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ

ગુજરાતની એકમાત્ર સંસ્થા છે, જે સિકલ સેલના દર્દીઓ માટે વિશિષ્ટ સારવારનું કેન્દ્ર

બન્યું છે. અહીં કાઉન્સિલિંગ, રસીકરણ, નિદાન, મફત દવાઓ, ICU સારવાર, ઓર્થોપેડીક સર્જરી અને રક્ત આપતી બ્લડ બેંક જેવી તમામ

આધુનિક સેવાઓ ઉપલબ્ધ છે.ઉપરાંત જટિલ પ્રસૂતિ માટે વિશિષ્ટ ડિલિવરી સેવા, થાપાના ગોળા સૂકાયેલા દર્દીઓ માટે

મફત થાપા પ્રત્યારોપણ, ક્રિટીકલ

દર્દીઓ માટે ઓટોમેટેડ બ્લડ એક્સચેન્જ થેરાપી, ICU અને તાત્કાલિક સારવાર વ્યવસ્થા, બ્લડ બેંક મારફતે સતત રક્ત પુરવઠો

જેવી અદ્યતન અને મફત સેવાઓ પણ શામેલ છે.

હાલમાં હોસ્પિટલમાં સિકલ સેલ એનિમિયાના

પાંચ દર્દીઓ દાખલ છે, જેમની

મુલાકાત તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, ડો. જિગિષા પાટોડીયા, ડો. કે.એન. ભટ્ટ, AHA કવિશા ભાટિયા, સિકલસેલ પ્રોજેકટના નોડલ ઓફિસર

ડો.અશ્વિન વસાવા RMO ડો.ભરત

પટેલ, મેટ્રોન જિગિષા શ્રીમાળી, વોર્ડના સ્ટાફ અને રેસિડન્ટ

ડોક્ટર્સ દ્વારા લેવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande