પોરબંદર, 19 જૂન (હિ.સ.) : સરકારી આયુર્વેદ દવાખાના, ઠોયાણા દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે પ્રાથમિક શાળા ઠોયાણા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મેડિકલ ઓફિસર ડો. જયદીપ લાખાણી દ્વારા યોગના આઠ અંગો અને તેમનું શારીરિક -માનસિક સ્વાસ્થ્યમાં મહત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ સરકારી આયુર્વેદ દવાખાનાના યોગ ઇન્સ્ટ્રક્ટર હરદાસભાઈ ખૂંટી દ્વારા બાળકોને આસન પ્રાણાયામ સૂક્ષ્મ વ્યાયામની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય લક્ષ્મણભાઈ અન્ય શિક્ષકો સહિત શાળા વિધાર્થીઓ સહભાગી થયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya