૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી- ૨૦૨૫ આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટદ્વારા ખાનગી મુદ્રણાલયો, મુદ્રકો અને પ્રકાશકો માટે વિવિધ આદેશ જાહેર કરાયા
જૂનાગઢ 2 જૂન (હિ.સ.) ભારતના ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી- ૨૦૨૫ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર જુનાગઢ જિલ્લામાં ૮૭- વિસાવદર વિઘાનસભા બેઠકની ચૂંટણી યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચના હુકમથી ચૂંટણી અંગેના સાહિત્ય,
૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી- ૨૦૨૫ આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટદ્વારા ખાનગી મુદ્રણાલયો, મુદ્રકો અને પ્રકાશકો માટે વિવિધ આદેશ જાહેર કરાયા


જૂનાગઢ 2 જૂન (હિ.સ.) ભારતના ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી- ૨૦૨૫ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર જુનાગઢ જિલ્લામાં ૮૭- વિસાવદર વિઘાનસભા બેઠકની ચૂંટણી યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચના હુકમથી ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, પેમ્ફલેટ, ચોપાનીયાના છાપકામ ઉપર નિયંત્રણ મુકવામાં આવ્યો છે.

જેને ધ્યાનમાં રાખતા જૂનાગઢ જિલ્લાના તમામ ખાનગી મુદ્રણાલયોના માલિકો, સંચાલકોને તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાઓને આથી જાણ કરવામાં આવે છે કે, ભારતના ચૂંટણી પંચના હુકમની જોગવાઈ મુજબ ઉપરોકત ચૂંટણી અંગેના કોઈપણ સાહિત્ય ચોપાનીયા, ભીતપત્ર, પેમ્ફલેટ, કે આવી અન્ય સામગ્રી ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ અને પુરા સરનામાની વિગતો અવશ્યપણે છાપેલા હોવા જોઈશે.

આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચના હુકમની જોગવાઈ હેઠળ નિયત નમુના- ક માં એકરારનામું પ્રકાશક પાસેથી મુદ્રકે બે નકલમાં મેળવી તેની એક નકલ ઉપરમાં જણાવ્યા વિગતેના તેમણે કે તેમના પ્રતિનિધિએ મુદ્રિત કરેલ (છાપેલ દસ્તાવેજોની) ચાર નકલો સાથે નીચે સહી કરનારને દિવસ- ૩ માં મળી જાય તે રીતે રજુ કરવાની રહેશે. આવી મુદ્રિત સામગ્રી અને એકરાર પત્ર સાથે મુદ્રકે છાપેલા દસ્તાવેજોની નકલોની સંખ્યા અને તેના મુદ્રણ કામ અંગે થયેલ ખર્ચને લગતી માહિતી પણ નિયત નમુના- ખ મુજબ રજુ કરવાની રહેશે.

ભારતના ચૂંટણી પંચની આ અંગેની સુચનાઓના કોઈપણ ઉલ્લંઘનને ખુબ ગંભીરતાથી જોવામાં આવશે અને યોગ્ય કેસોમાં રાજયના પ્રવર્તમાન કાયદાની જોગવાઈ અન્વયે મુદ્રણાલયનું લાયસન્સ/ રજીસ્ટ્રેશન રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે. જેની તમામ સબંધકર્તાઓએ નોંધ લેવી.

ઉક્ત અખબારી યાદીમાં નિર્દિષ્ટ કરેલ સૂચનાઓ ૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તાર માટે તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેસ્ટ અનિલકુમાર રાણાવસીયા, જૂનાગઢ જિલ્લાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande