જૂનાગઢ 2 જૂન (હિ.સ.) મહાન વીરાંગના, અનેક તીર્થસ્થાનોનો જીર્ણોદ્ધાર કરાવી ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરનાર, પ્રજાભિમુખ કુશળ પ્રશાસક, લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની જન્મ જયંતી કર્તવ્યપરાયણતા, સેવા અને નિર્ભયતાથી સભર તેમનું જીવન તેમજ મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક ઉત્થાન માટે તેમનું મહાન યોગદાન અનેક લોકો માટે પ્રરણારૂપ બની શકે તેમ છે, ત્યારે તેમના જીવન ચરિત્ર અંગે લોકો જાણે અને તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશ્ય સાથે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ ગૌરવ રૂપારેલિયાનાં માર્ગદર્શન હેઠળ, સંયોજક મુકેશભાઈ ગજેરા સહ સંયોજક હિમાંશુભાઈ ગોરાણીયા, તથા સહ સંયોજક જ્યોતિબેન વાડોલીયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ મહાનગર ભાજપ કાર્યાલય ખાતે થી પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરના, જીવન ચરિત્રના રથને પ્રસ્થાન કરાવી વિવિધ વોર્ડ માં પુષ્પાંજલિ કરી લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
જેમાં ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં હોદેદારો આગેવાનો તેમજ પદાધિકારીઓ કોર્પોરેટરો તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ સંજય પંડ્યાની યાદી જણાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ