મનપા સામે જીવદયા પ્રેમીઓ, ઉપવાસ આંદોલન કરશે.
જીવદયા પ્રેમીઓ ઉપવાસ આંદોલન કરશે.
મનપા સામે જીવદયા પ્રેમીઓ ઉપવાસ આંદોલન કરશે.


મનપા સામે જીવદયા પ્રેમીઓ ઉપવાસ આંદોલન કરશે.


મનપા સામે જીવદયા પ્રેમીઓ ઉપવાસ આંદોલન કરશે.


મનપા સામે જીવદયા પ્રેમીઓ ઉપવાસ આંદોલન કરશે.


મનપા સામે જીવદયા પ્રેમીઓ ઉપવાસ આંદોલન કરશે.


પોરબંદર, 2 જૂન (હિ.સ.) પોરબંદરમાં રખડતા ઢોરના ત્રાસના લીધે લોકોની રજુઆતો પગલે મનપાએ આખલા પકડો ઝુંબેશ શરૂ કરી હતી અને હાલ મનપા સંચાલિત ગૌશાળામાં 600 આસપાસ નંદીઓ છે પરંતુ તેના માટે યોગ્ય સુવિધા કે તબીબી સારવારની વ્યવસ્થા ના હોવાના આક્ષેપો સાથે વધુ એક વાર ઉદય કારાવદરા ટ્રસ્ટ અને જીવદયા પ્રેમીઓ દ્વારા મનાપાને લેખિત રજુઆતો કરી છે અને સ્થળ નિરક્ષણ કરી વાસ્વિકતા બતાવી હતી તેમજ આગામી 15 દિવસમાં ગૌશાળમાં ધટતી સુવિધા નહી આપવામા આવે જીવદયા પ્રેમીઓ મનપા સામે મરણાંત ઉપવાસ કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

પોરબંદર ઉદય કારાવદરા અન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા મનપાને લેખિત રજુઆતમા જણાવ્યા મુજબ પોરબંદર શહેરમાંથી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા 600 થી વધુ નંદીને પકડવામાં આવેલા છે અને મહાનગરપાલિકાની ઓડદર સ્થિત ગૌશાળામાં રાખવામાં આવેલા છે પરંતુ અમારી તારીખ 26|5|25 તથા 1|6|/25 ની રૂબરૂ મુલાકાત સમયે આ 600 નંદી માટે કોઈપણ પ્રકારનું રજીસ્ટર ત્યાં જોવા મળ્યું નથી તથા એમને ટેગ પણ લગાવવામાં આવેલા નથી તો એની સંખ્યા ની ગણતરી કઈ રીતે કરવામાં આવેલી છે? શહેરમાંથી મહાનગરપાલિકાના કર્મચારીઓ જે કોઈ નંદી ને પકડે છે તેને ક્રુરતાપૂર્વક ઢસડીને ટ્રોલીમાં ભરે છે અને ઘણી વખત એકબીજા ઉપર આ નંદી પડી પણ જાય છે એના શીંગડા ટ્રોલીમાં ભરાઈ જાય છે જેના વીડિયો અમારી પાસે ઉપલબ્ધ છે. તો આ કર્મચારીઓ વિરુદ્ધ પ્રાણીફૂરતા અધિનિયમ અનુસાર કાર્યવાહી શું કામ નથી કરવામાં આવતી?

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande