સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની, મનપાને ઉગ્ર રજુઆત.
મનપાને ઉગ્ર રજુઆત.
સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની મનપાને ઉગ્ર રજુઆત.


સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની મનપાને ઉગ્ર રજુઆત.


સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની મનપાને ઉગ્ર રજુઆત.


પોરબંદર, 2 જૂન (હિ.સ.) પોરબંદરના રાજીવનગરમાં આવેલા સાઈબાબાના મંદિર પાસે આવેલી સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળને, મનપા દ્રારા

દબાણને લઇ નોટીશ આપવામા આવી હતી અ મુદે સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના હોદેદારોએ મનપાના કમિશ્નરને રૂબરૂ મળી રજુઆત કરી હતી

પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના હોદેદારોએ મનપાનને એવી રજુઆત કરી હતી કે સોરઠીયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ, નરસંગ ટેકરી સાઈ બાબાના મંદિર પાસે આવેલ સંસ્થાને ગત વર્ષના ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજીવનગરનાં પાણી નીકાલ માટે અમોનું બાંધકામ નડતર રૂપ થતું હોય તેવા આરોપ સાથે જી.પી.એમ.સી.એકટ-1949 ની કલમ 1164 અને કલમ 188 અન્વયે નોટીસ પાઠવવામાં આવેલ છે.

જે નોટીસ અન્વયે જણાવવાનું કે, સોરઠીયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ સંસ્થા હાલના જ સ્થળે 55 વર્ષ થી કાર્યરત છે તેમજ સને 1968 માં આ સંસ્થાની જમીન અમોને સરકાર દ્વારા દ્વારા નિયમાનુસાર ફાળવવામાં આવેલી છે. જે તે સમયે અમોને છાયા ગામના સર્વે નંબર 316 વાળી જમીન માંથી 1. પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ તેમજ 2 પટેલ કેળવણી મંડળ બંને સંસ્થાઓને જમીન ફાળવવામાં આવેલ હતી. પરંતુ આ સર્વે નંબરની જમીનમાંથી કુદરતી પાણીના નિકાલનું વહેણ આવેલું હોય અમોને પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળને સને 1971 માં પશ્ચિમ તરફ 4 ફૂટ પાણી નીકાલનો ગરો રાખવા માટે સમજૂતી કરવામાં આવતા અમોએ સહમતી આપી 4 ફૂટ ગરો ખુલ્લો મુકીને જ અમોની કાયદેસરની જગ્યાનો જ વપરાશ કરેલ છે. એટલું જ નહિ અમો દ્વારા પૂર્વ તરફ 12 ફૂટ રસ્તો પણ કાઢી આપેલ છે.આથી અમોએ પાણીના વહેણને કોઈ જ રીતે અટકાવવાની પ્રવૃતી કરેલ નથી. તેમજ અમોની માલિકીની જગ્યામાં કોઈ જ કુદરતી પાણીના નિકાલને અવરોધરુપ બાંધકામ કરેલ નથી વધુમાં એમ જણાવવાનું કે, આપના દ્વારા અમોને ધી.જી.પી.એમ.સી.એકટ-1949 ની કલમ 164 હેઠળ ડ્રેનેજ બનાવવાની નોટીસ આપવામાં આવેલી છે.

ખરેખર અમોની સંસ્થાની જમીનમાં હાલ 4 ફૂટ પહોળાઈ ધરાવતું પાણીનો ગરો હયાત જ છે. તેમજ પ્રતિવર્ષ વરસાદી પાણીનો નિકાલ આ જ

ગરમાંથી થાય જ છે. આથી અમોને ધી.જી,પી.એમ.સી.એકટ-1949 ની કલમ 164 હેઠળ આપવામાં આવેલી નોટીસ તદ્દન ગેર વ્યાજબી છે. વધુમાં જણાવવાનું કે, રાજીવનગર કુદરતી રીતે નીચાણવાળો વિસ્તાર છે તેમજ પ્રતિવર્ષ માત્ર 2-5 ઈંચ વરસાદ થતા જ રાજીવનગરમાં વરસાદી પાણીનો ભરાવો થવા લાગે જ છે. કારણકે સમગ્ર વિસ્તાર રોડ લેવલથી આશરે 20 ફૂટ નીચાણ ધરાવે છે.

ઉપરાંત અગાઉ રાજીવનગરમાં તમામ સાર્વજનીક જગ્યાઓ ખુલ્લી હતી આથી વરસાદનું પાણી જે-તે વિસ્તારમાં વહી જવાથી વરસાદ પુરો થવાથી પાણી નો ભરાવો ઓછો થઇ જતો હતો. પરંતુ હાલ રાજીવનગર વિસ્તારમાં જ મોટા પ્રમાણમાં દબાણો તેમજ આડેધડ બાંધકામો ઉભા થઇ ગયેલ હોવાથી પાણી નિકાલની કોઈ જગ્યા ખુલ્લી બચી જ નથી. આથી ગત વર્ષે એક જ રાત્રીમાં 25 ઈંચ જેટલો વરસાદ થવાથી તેમજ સુકાળા તળાવ તુટવાથી આ વિસ્તારમાં પાણીનો ભરાવો થયેલ હતો જે બાબત સર્વ વિદિત છે. પરંતુ રાજીવનગરમાં કેટલાક માથાભારે તત્વો રહેતા હોવાથી તેઓના દબાણો બચાવવાના હેતુથી પોરબંદર મહાનગરપાલિકા વારંવાર અમોની સંસ્થાને જ માત્ર ટારગેટ કરી વારંવાર નોટીસો આપી હેરાન પરેશાન કરવામાં આવે છે જે તદન વ્યાજબી નથી તેમ પણ રજુઆતમાં જણાવ્યુ હતુ.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande