ભાલોદ ગામે ગંગાદશહરા મહોત્સવની રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી
-માઁ નર્મદાને ચુંદડી અર્પણ કરવામાં આવી સાથે સમૂહમાં નદી કીનારે મહાઆરતી યોજાય -ભાલોદ ગામમાં ગંગાદશહરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષથી અવિરત ચાલી રહી છે . -માઁ નર્મદાના પાવન તીરે દર વર્ષે તેનું મહત્વ વધતું જાય છે ભરૂચ 2 જૂન (હિ.સ.) ભરૂચ જીલ્લાના ઝઘડિય
ભાલોદ ગામે ગંગાદશહરા મહોત્સવની રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી


ભાલોદ ગામે ગંગાદશહરા મહોત્સવની રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી


ભાલોદ ગામે ગંગાદશહરા મહોત્સવની રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી


-માઁ નર્મદાને ચુંદડી અર્પણ કરવામાં આવી સાથે સમૂહમાં નદી કીનારે મહાઆરતી યોજાય

-ભાલોદ ગામમાં ગંગાદશહરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષથી અવિરત ચાલી રહી છે .

-માઁ નર્મદાના પાવન તીરે દર વર્ષે તેનું મહત્વ વધતું જાય છે

ભરૂચ 2 જૂન (હિ.સ.) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠે વસેલા ભાલોદ ગામમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા ગંગાદશહરા મહોત્સવની ઉજવણી થાય છે આ વર્ષે મહોત્સવને 25 વર્ષ પૂર્ણ થતા ભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી .જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી માં ગંગા-નર્મદા નદી સ્નાન કરવાનુ મહત્વ વધારે હોય છે. ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા ગંગાદશહરા મોહત્સવની ઊજવણી કરી હતી .જેમા મોટી સંખ્યામા ભાલોદ ગામ તેમજ અન્ય શહેરો,રાજ્યો, વિદેશોમાં વસતા શ્રદ્ધાળું લોકો ભાલોદ ગામે આવતા આખુ ગામ શ્રદ્ધાળુંઓથી છલકાય ગયુ હતું .

ગંગાદશહરા મોહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમા મુખ્ય બજારમા આવેલા મહાકાળી માતાજીના મંદીરેથી સાંજનાના 5 કલાકે માઁ નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ત્યાર બાદ ભાલોદ ગામના વિવિધ વિસ્તારમાં આ શોભાયાત્રા ભ્રમણ કરી નર્મદા નદી કિનારે સપન્ન થઈ હતી. તેમજ નદી કિનારે તાજેતરમા લગ્નગ્રંથીથી જોડાયેલા નવયુગલો દ્વારા માં નર્મદાનુ પૂજન તેમજ સમૂહમા મહાઆરતી કરી હતી. તે બાદ એક કિનારેથી સામે કિનારે અંદાજે 350 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. બીજા દિવસે સવારે 10 કલાકે બ્રહ્મસમાજની વાડીમા સ્નેહ મિલનનો કાર્યક્મ રાખવામા આવ્યો હતો.બે દિવસના કાર્યક્મમા ગુજરાતના વિવિઘ શહેરોમાંથી બ્રહ્મસામાજના લોકો તેમજ ભાલોદ ગામના સ્થાનિકો જે ઘંઘા રોજગાર માટે બહારગામ સ્થાયી થયેલા લોકો પણ ભાલોદ ગામે મોટી સંખ્યામા ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગંગા દશહરા સમિતિ તેમજ ગામના સ્થાનિક ઉત્સાહી કાર્યકરોએ બે દિવસના કાર્યક્રમને અથાગ પુરુષાર્થ ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande