પોરબંદરમાં મનપા બનતા, સમસ્યામાં વધારો.
મનપા બનતા સમસ્યામાં વધારો.
પોરબંદરમાં મનપા બનતા, સમસ્યામાં વધારો.


પોરબંદર, 2 જૂન (હિ.સ.) પોરબંદરને મહાનગરનો દરજજો મળ્યો તેમા ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, શહેરનો વિસ્તાર વધતા હવે પ્રાથમિક સુવિદ્યાને લઇ પણ વ્યાપક ફરીયાદો મળી રહી છે ખાસ કરીને સફાઈ અને પાણી અને સ્ટ્રીટ લાઈટને લઈ વધુ ફરીયાદો મળી રહી છે. શહેરીજનોને પાલિકાના દ્રારા સુધી ફરીયાદ કરવા માટે જવુ ન પડે તે માટે હેલ્પાલાઇન નંબર 18002330286 શરૂ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઈ-નગર એપ, સ્વછતા એપના માધ્યમથી લોકો ફરીયાદ કરી રહ્યા છે. મે માસની વાત કરીએ તો 948 ફરીયાદો મળી હતી તેંમાથી 536 ફરીયાદોનુ નિરકારણ કરવામા આવ્યુ છે હજુ 356 ફરીયાદો પેન્ડીંગ છે શહેરીજનોના એવા આક્ષેપો છે કે હેલ્પાલાઈન પર અવારનવાર ફરીયાદ કરવા છતા ફરીયાદનુ નિરકારણ કરવામા આવતુ નથી તો કેટલી ફરીયાદોનુ ચોપડા પર જ નિરકાર કરી દેવામાં આવે છે. પીએમસી પાસે પુરતા સફાઈ કામદારો નથી જેના કારણે ખાસ કરીને સફાઈને લઈ પ્રશ્નનોનુ નિરકાર થતુ નથી તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે. પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારોમાં સફાઈને લઈ અનેક સમસ્યા જોવા મળી રહી છે .પ્રજાના પ્રશ્નોના નિરકારણ માટે હેલ્પાલાઈનની સાથે અલગ-અલગ એપ પણ બનાવામાં આવી છે તેમ છતા પ્રશ્નનોનુ નિકરાકરણ થતુ નથી તેવી પણ લોકોમાં ફરીયાદ ઉઠી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande