પાટણ, 2 જૂન (હિ.સ.) 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીના ભાગરૂપે પાટણ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 8 જૂન, 2025ના રોજ સવારે 5:30થી 7:30 દરમિયાન શૈલજ બંગલોઝ સામેના મેદાન, અંબાજી નેળીયું ખાતે યોજાશે. આ કાર્યક્રમ 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલે જણાવ્યુ કે, યોગ શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે. યોગના માધ્યમથી નવી પેઢીમાં જાગૃતિ લાવવી અને લોકોને યોગ પ્રત્યે પ્રેરિત કરવાનો પણ હેતુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વિશ્વભરમાં દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના રમતગમત વિભાગ હેઠળ કરવામાં આવી છે, જે રાજ્યમાં યોગવિદ્યાના પ્રસાર માટે કાર્યરત છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર