અંબુબાસી મેળો: શ્રદ્ધા અને પ્રકૃતિ ચક્રનો, અદ્ભુત સંગમ
ગુવાહાટી (આસામ), નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) શક્તિ અને તાંત્રિક પરંપરાઓની પૂજાનું જીવંત પ્રતીક, એટલે અંબુબાસી મેળો. ગુવાહાટીના માં કામાખ્યા ધામ ખાતે, સંપૂર્ણ ભક્તિભાવ સાથે યોજાઈ રહ્યો છે. આ મેળો માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્
અંબુબાસી મેળો: શ્રદ્ધા અને પ્રકૃતિ ચક્રનો, અદ્ભુત સંગમ


ગુવાહાટી (આસામ), નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.)

શક્તિ અને તાંત્રિક પરંપરાઓની પૂજાનું જીવંત પ્રતીક, એટલે અંબુબાસી મેળો. ગુવાહાટીના માં કામાખ્યા ધામ

ખાતે, સંપૂર્ણ ભક્તિભાવ સાથે યોજાઈ રહ્યો છે. આ મેળો માત્ર ધાર્મિક આસ્થાનું

કેન્દ્ર નથી, પરંતુ સાંસ્કૃતિક

વિવિધતા અને અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ બની ગયો છે.

દર વર્ષે જૂન મહિનામાં ઉજવાતો આ ચાર દિવસનો ઉત્સવ, માં

કામાખ્યાના ઋતુકાળનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે, આ સમય દરમિયાન દેવી

માસિક ધર્મમાં આવે છે, તેથી મંદિરના

ગર્ભગૃહના દરવાજા ત્રણ દિવસ માટે બંધ રહે છે.

આ ત્રણ દિવસ દરમિયાન, આસામમાં ખેતી અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ બંધ રાખવામાં આવે

છે. ભક્તો માને છે કે, આ ધરતી માતાના વિશ્રામનો સમય છે, અને તેમને કોઈપણ

રીતે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં.”

ચોથા દિવસે, મંદિરનો દરવાજો ભવ્ય પૂજા સાથે ખોલવામાં આવે છે. આ પ્રસંગે, ભારત અને

વિદેશમાંથી લાખો ભક્તો, સંતો, અઘોરીઓ અને સાધકો

માતાના દર્શન કરવા માટે ઉમટે છે.

આ વર્ષે, 5 લાખથી વધુ ભક્તો હાજર રહે તેવી અપેક્ષા છે. આ વિશાળ ભીડને

ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે

સુરક્ષા, આરોગ્ય, ભોજન અને આરામ

માટે વ્યાપક વ્યવસ્થા કરી છે.

મંદિર સંકુલ આ દિવસોમાં, અદ્ભુત આધ્યાત્મિક ઉર્જાથી ભરેલું

છે. ત્રિશૂળ, મંત્રોચ્ચાર અને

તાંત્રિક વિધિઓ સાથે સાધુઓ,

અઘોરીઓના દ્રશ્યો

એક અનોખો અનુભવ બનાવે છે,

જે અંબુબાશીને

અન્ય મેળાઓથી અલગ બનાવે છે. આ મેળો માત્ર ધાર્મિક નથી પણ, સ્થાનિક વ્યવસાય, પર્યટન અને

પરિવહન સેવાઓ માટે આર્થિક જીવનરેખા પણ બની ગયો છે.

સમય સાથે મેળો બદલાઈ રહ્યો છે, પરંતુ તેનો આત્મા

આજે પણ એ જ છે - શ્રદ્ધા,

નારી શક્તિ અને

પ્રકૃતિ ચક્રનો ભવ્ય ઉત્સવ,

જે ભારતના ઊંડા

આધ્યાત્મિક વારસાને જીવંત રાખે છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande