ગુવાહાટી (આસામ), નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.)
શક્તિ અને તાંત્રિક પરંપરાઓની પૂજાનું જીવંત પ્રતીક, એટલે અંબુબાસી મેળો. ગુવાહાટીના માં કામાખ્યા ધામ
ખાતે, સંપૂર્ણ ભક્તિભાવ સાથે યોજાઈ રહ્યો છે. આ મેળો માત્ર ધાર્મિક આસ્થાનું
કેન્દ્ર નથી, પરંતુ સાંસ્કૃતિક
વિવિધતા અને અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ બની ગયો છે.
દર વર્ષે જૂન મહિનામાં ઉજવાતો આ ચાર દિવસનો ઉત્સવ, માં
કામાખ્યાના ઋતુકાળનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે, આ સમય દરમિયાન દેવી
માસિક ધર્મમાં આવે છે, તેથી મંદિરના
ગર્ભગૃહના દરવાજા ત્રણ દિવસ માટે બંધ રહે છે.
આ ત્રણ દિવસ દરમિયાન, આસામમાં ખેતી અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ બંધ રાખવામાં આવે
છે. ભક્તો માને છે કે, આ ધરતી માતાના વિશ્રામનો સમય છે, અને તેમને કોઈપણ
રીતે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં.”
ચોથા દિવસે, મંદિરનો દરવાજો ભવ્ય પૂજા સાથે ખોલવામાં આવે છે. આ પ્રસંગે, ભારત અને
વિદેશમાંથી લાખો ભક્તો, સંતો, અઘોરીઓ અને સાધકો
માતાના દર્શન કરવા માટે ઉમટે છે.
આ વર્ષે, 5 લાખથી વધુ ભક્તો હાજર રહે તેવી અપેક્ષા છે. આ વિશાળ ભીડને
ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે
સુરક્ષા, આરોગ્ય, ભોજન અને આરામ
માટે વ્યાપક વ્યવસ્થા કરી છે.
મંદિર સંકુલ આ દિવસોમાં, અદ્ભુત આધ્યાત્મિક ઉર્જાથી ભરેલું
છે. ત્રિશૂળ, મંત્રોચ્ચાર અને
તાંત્રિક વિધિઓ સાથે સાધુઓ,
અઘોરીઓના દ્રશ્યો
એક અનોખો અનુભવ બનાવે છે,
જે અંબુબાશીને
અન્ય મેળાઓથી અલગ બનાવે છે. આ મેળો માત્ર ધાર્મિક નથી પણ, સ્થાનિક વ્યવસાય, પર્યટન અને
પરિવહન સેવાઓ માટે આર્થિક જીવનરેખા પણ બની ગયો છે.
સમય સાથે મેળો બદલાઈ રહ્યો છે, પરંતુ તેનો આત્મા
આજે પણ એ જ છે - શ્રદ્ધા,
નારી શક્તિ અને
પ્રકૃતિ ચક્રનો ભવ્ય ઉત્સવ,
જે ભારતના ઊંડા
આધ્યાત્મિક વારસાને જીવંત રાખે છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ