પ્રધાનમંત્રીએ, ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન વાતચીતમાં પ્રાદેશિક તણાવ પર ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકીયાને રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી. બંને નેતાઓએ ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ સહિત પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ, તાજેતરના તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકીયાન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકીયાને રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી. બંને નેતાઓએ ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ સહિત પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ, તાજેતરના તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને સંવાદ અને રાજદ્વારીને ઉકેલનો માર્ગ ગણાવ્યો.

વાર્તાલાપ દરમિયાન, રાષ્ટ્રપતિ પેજેશકીયાને પ્રદેશની વર્તમાન પરિસ્થિતિ અને ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વિશે વિગતવાર માહિતી આપી. પ્રધાનમંત્રીએ, શાંતિ અને માનવતા માટે ભારતના સમર્થન વિશે વાત કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે તણાવ ઘટાડવાની તાત્કાલિક જરૂર છે. તેમણે આ દિશામાં સંવાદ અને રાજદ્વારી પ્રયાસો આગળ વધારવા પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રીએ, ભારતીય નાગરિકોના સુરક્ષિત વાપસી અને પુનર્વસનમાં આપવામાં આવી રહેલા સહયોગ બદલ રાષ્ટ્રપતિ પેજેશકીયાનનો આભાર વ્યક્ત કર્યો. બંને નેતાઓએ પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ સહયોગમાં, વેપાર, આર્થિક ભાગીદારી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને લોકો-થી-લોકોના સંબંધોને મહત્વ આપવામાં આવ્યું. બંને નેતાઓ ભવિષ્યમાં સંપર્કમાં રહેવા સંમત થયા.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તાજેતરના લશ્કરી તણાવે પશ્ચિમ એશિયામાં અશાંતિનું વાતાવરણ સર્જ્યું છે. હવે અમેરિકા પણ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોને નિશાન બનાવીને તેમાં જોડાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande