કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, છત્તીસગઢમાં એનએફએસયુ અને સીએફએસએલ નો શિલાન્યાસ કર્યો
રાયપુર, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રવિવારે બે દિવસની મુલાકાતે છત્તીસગઢ પહોંચ્યા. આ દરમિયાન ગૃહમંત્રીએ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સેન્ટ્રલ ફોરેન્સિક લેબનું ભૂમિપૂજન કર્યું. આ સાથે, તેમણે રાષ્ટ્રીય ફોરેન્સ
અમિત શાહે, છત્તીસગઢમાં એનએફએસયુ અને સીએફએસએલ નો શિલાન્યાસ કર્યો


રાયપુર, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રવિવારે બે દિવસની મુલાકાતે છત્તીસગઢ પહોંચ્યા. આ દરમિયાન ગૃહમંત્રીએ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સેન્ટ્રલ ફોરેન્સિક લેબનું ભૂમિપૂજન કર્યું. આ સાથે, તેમણે રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનું ભૂમિપૂજન પણ કર્યું.

આ દરમિયાન, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયએ કહ્યું કે, આજે તેમણે નવા રાયપુરના બંજરીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઐતિહાસિક પહેલ માત્ર છત્તીસગઢ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું છે. આ સંસ્થા અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કુશળ ફોરેન્સિક નિષ્ણાતો તૈયાર કરશે, જે ગુના તપાસને વૈજ્ઞાનિક, સચોટ અને પારદર્શક અભિગમ સાથે સશક્ત બનાવશે.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ ડો.રમણ સિંહ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ કિરણ સિંહ દેવ, નાયબ મુખ્યમંત્રીઓ અરુણ સાવ અને વિજય શર્મા, કેબિનેટ મંત્રી કેદાર કશ્યપ, સાંસદ બ્રીજમોહન અગ્રવાલ, ધારાસભ્યો, વહીવટી અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ગજેન્દ્રપ્રસાદ પટેલ/અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande