પૂર્વ સી.એમ.વિજય રૂપાણીને પોરબંદર ભાજપ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
પોરબંદર, 22 જૂન (હિ.સ.) : અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા લોકો અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા '' અટલ ભવન '' ભાજપ કાર્યાલય પોરબંદર ખાતે
પૂર્વ સી.એમ.વિજય રૂપાણીને પોરબંદર ભાજપ દ્વારા શાધસુમન અર્પણ કરાયા.


પૂર્વ સી.એમ.વિજય રૂપાણીને પોરબંદર ભાજપ દ્વારા શાધસુમન અર્પણ કરાયા.


પૂર્વ સી.એમ.વિજય રૂપાણીને પોરબંદર ભાજપ દ્વારા શાધસુમન અર્પણ કરાયા.


પૂર્વ સી.એમ.વિજય રૂપાણીને પોરબંદર ભાજપ દ્વારા શાધસુમન અર્પણ કરાયા.


પૂર્વ સી.એમ.વિજય રૂપાણીને પોરબંદર ભાજપ દ્વારા શાધસુમન અર્પણ કરાયા.


પોરબંદર, 22 જૂન (હિ.સ.) : અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા લોકો અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ' અટલ ભવન ' ભાજપ કાર્યાલય પોરબંદર ખાતે પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીએ વિજયભાઈની થયેલી ખોટ ક્યારે પણ બુરાસે નહીં એમ જણાવ્યું હતું . જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા સહિતના આગેવાનોએ સ્વ.વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવાર પરિવારજનોને આ દુઃખ સહન કરવાની સાંત્વના પાઠવી હતી. પોરબંદર જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો સુધરાઈ ના પૂર્વ પ્રમુખો તાલુકા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો સમાજના વિવિધ ક્ષેત્રોના આગેવાનો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા વિજયભાઈના પોરબંદર સાથેના સ્મરણોને વાગોળયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિજયભાઈ પોરબંદર સાથે અનેરો નાતો ધરાવતા હતા અને સંગઠનનાત્મક રીતે અનેક કાર્યકર્તાના નિર્માણ માટે તેમનું યોગદાન ખૂબ હતું. આ ઉપરાંત પદાધિકારીઓ, સહિત હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી દિવંગતો અને સ્વ. વિજયભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ શોક સભા કાર્યક્રમનું સંચાલન આગેવાન કેતનભાઈ દાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande