પાટણના જગન્નાથ મંદિરમાં 21 કિલો સૂકા મેવાનો ભવ્ય મનોરથ
પાટણ, 23 જૂન (હિ.સ.) : પાટણના શ્રી જગન્નાથ મંદિરમાં આગામી 27મી જૂને નીકળનારી 143મી રથયાત્રાની તૈયારી વચ્ચે સોમવારે એક અનોખો મનોરથ યોજાયો હતો. મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર ભગવાનના ગર્ભગૃહને 21 કિલોગ્રામ સૂકા મેવાથી શણગારવામાં આવ્યું. કાજુ, બદામ, પિસ્તા,
પાટણના જગન્નાથ મંદિરમાં 21 કિલો સૂકા મેવાનો ભવ્ય મનોરથ


પાટણ, 23 જૂન (હિ.સ.) : પાટણના શ્રી જગન્નાથ મંદિરમાં આગામી 27મી જૂને નીકળનારી 143મી રથયાત્રાની તૈયારી વચ્ચે સોમવારે એક અનોખો મનોરથ યોજાયો હતો. મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર ભગવાનના ગર્ભગૃહને 21 કિલોગ્રામ સૂકા મેવાથી શણગારવામાં આવ્યું. કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર તેમજ કાળી અને સફેદ દ્રાક્ષનો ઉપયોગ કરીને આ ભવ્ય શણગાર કરાયો હતો.

આ વિશેષ મનોરથમાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જગન્નાથ ભક્તો અને પૂજારીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો. સૂકા મેવાના આ શણગારના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી હતી અને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે પાટણની રથયાત્રા ભારતની ત્રીજી અને ગુજરાતની બીજી સૌથી મોટી રથયાત્રા છે. અષાઢી બીજના દિવસે નિકળનારી આ યાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બિરાજમાન થશે. રથયાત્રાને લઇને મંદિર ટ્રસ્ટ અને યાત્રા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande