તાલાલા આંકોલવાડીમાં, સરકારી દવાખાનામાં યોગ સેશન યોજાયા
ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) તાલાલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે આંકોલવાડીમાં સરકારી દવાખાનામાં યોગ સેશન યોજાયા હતાં.સરપંચ શl સેજલબહેન વઘાસિયાની ઉપસ્થિતિમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મીત ઠુંમર અને સહયોગી કર્મચારીઓ અને ગ્રામ
આંકોલવાડીમાં સરકારી દવાખાનામાં યોગ સેશન યોજાયા


ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) તાલાલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે આંકોલવાડીમાં સરકારી દવાખાનામાં યોગ સેશન યોજાયા હતાં.સરપંચ શl સેજલબહેન વઘાસિયાની ઉપસ્થિતિમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મીત ઠુંમર અને સહયોગી કર્મચારીઓ અને ગ્રામજનોએ સાથે મળીને આ યોગ દિવસની ઉજવણી કરી હતી.

ગેસ એસીડિટીમાં અને કમરનાં દુઃખાવા માટે ખૂબ ફાયદાકારક મકરાસન, થાઇરોઇડ, ચરબી દૂર કરવા , ફેફસાં માટે ખૂબ ફાયદાકારક એવા નિરાલંબાસન, ડાયાબિટીસ, ભૂખ ન લાગતી હોય તો ફાયદો થાય એવું જાનુશીરાસન, ઊર્જા પ્રાપ્ત થાય, આળસ દૂર થાય એ માટે શીતકારી પ્રાણાયામ, સાંધાના દુખાવામાં રાહત આપતાં વાયુ મુદ્રા આસન સહિતના આસન થકી યોગાભ્યાસ કર્યો હતો.

વિશ્વ યોગ દિવસની ઉજવણી સાથે જ ઉપસ્થિત સર્વેને પ્રફુલ્લીત મન અને સ્વસ્થ જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande