શ્રીનગર, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.)
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) એ, પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓને આશ્રય આપવા બદલ બે
લોકોની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની
હત્યા કરી હતી.
એનઆઇએ એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે,” બટકોટના પરવેઝ
અહેમદ જોથર અને પહેલગામના હિલ પાર્કના બશીર અહેમદ જોથર એ, આ હુમલામાં સામેલ ત્રણ
સશસ્ત્ર આતંકવાદીઓની ઓળખ જાહેર કરી છે.”
તેમણે એ પણ પુષ્ટિ આપી છે કે,” હુમલાખોરો
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઈટી) સાથે, સંકળાયેલા પાકિસ્તાની નાગરિકો હતા.”
એનઆઇએ એ જણાવ્યું હતું કે,” પરવેઝ અને બશીરે હુમલા પહેલા
હિલ પાર્કમાં, એક મોસમી ઢોક (ઝૂંપડી)માં જાણી જોઈને, ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓને
આશ્રય આપ્યો હતો. બંનેએ આતંકવાદીઓને ખોરાક, આશ્રય અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો.જેમણે 22 એપ્રિલના રોજ
ધાર્મિક ઓળખના આધારે પ્રવાસીઓની પસંદગીપૂર્વક હત્યા કરી હતી.”
એનઆઇએ એ, ગેરકાયદેસર
પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 ની કલમ 19 હેઠળ, બંનેની ધરપકડ કરી છે.
વધુ તપાસ ચાલુ છે.....
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ