પાટણ, 22 જૂન (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયત ની ચૂંટણી રવિવારે યોજાઈ હતી. જેમા મતદારો વરસાદી માહોલ વચ્ચે સવાર થી પોતાના મતાધીકાર નો ઉપયોગ કરવા પહોચ્યા હતા.
મેળોજ ગામમા 3571 મતદારો ગામના આગામી સરપંચ નક્કી કરશે.બેલેટ પેપર ની મતદાન પેટીમા આગામી 25 જૂને ગામના સરપંચ ની જીત નક્કી થશે.મેળોજ ગામમા ઠાકોર ફતાજી રવાજી , ભરીયાની ભરતભાઈ કેશાભાઈ તેમજ હતીબેન દલસંગજી ઠાકોર , ઠાકોર સુરેશજી પરબતજી બંને દાદી પૌત્ર એકબીજાની વિરૂદ્ધ ઉમેદવારી નોંધાવી હતી અને જીતની આશા વ્યકત કરી હતી.
મેળોજ સરપંચ પદના ઉમેદવાર હતીબેન ઠાકોરે જણાવ્યુ હતુ કે સુરેશજી ગામના ડેલીગેટ હોવા છતા ગામનો કોઈ વિકાસ થઈ રહ્યો ન હતો જેથી ગામના વિકાસને લઇને ઉમેદવારી નોંધાવી છે.
હતીબેન ના પૌત્ર ઠાકોર સુરેશજીએ જણાવ્યુ હતુ કે હતીબેન છેલ્લા 15-20 વર્ષ થી ગામના સરપંચ પદ તરીકે રહી ચુક્યા છે તેમ છતાં ગામનો કોઈજ વિકાસ થઈ રહ્યો ન હતો તેમજ ગ્રામજનો ના મતે ભાવી સરપંચ તરીકે યુવાન ઉમેદવારી નોંધાવે જેથી ગ્રામજનો ના સાથ સહકાર થી ગામના વિકાસ માટે ઉમેદવારી નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર