મોસમ બાદ હવે રાજકારણમાં પણ અંબાલાલની ભવિષ્યવાણી સાચી!
Gujarat, 23 જૂન (હિ.સ.)- ગુજરાતના જાણીતા મોસમ વિશેષજ્ઞ અંબાલાલ પટેલ હવે માત્ર વરસાદ નહીં પણ રાજકીય ભવિષ્યવાણીઓ માટે પણ ચર્ચામાં છે. ઉપચૂંટણી પહેલા, માત્ર બે દિવસ અગાઉ, એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન અંબાલાલ પટેલે કહ્યું હતું કે: ગુજરાતની એક બે
Ambalal patel


Gujarat, 23 જૂન (હિ.સ.)- ગુજરાતના જાણીતા મોસમ વિશેષજ્ઞ અંબાલાલ પટેલ હવે માત્ર વરસાદ નહીં પણ રાજકીય ભવિષ્યવાણીઓ માટે પણ ચર્ચામાં છે. ઉપચૂંટણી પહેલા, માત્ર બે દિવસ અગાઉ, એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન અંબાલાલ પટેલે કહ્યું હતું કે:

ગુજરાતની એક બેઠક પર નવી પાર્ટીનો ઉમેદવાર વિજેતા બનશે.

આ ભવિષ્યવાણી 100% સાચી સાબિત થઈ છે. વિસાવદર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને હરાવ્યા છે.

લોકોમાં હવે નવી ચર્ચા:

‘અંબાલાલ એટલે સાફ જવાબ!’

મોસમની જેમ હવે રાજકારણની ભવિષ્યવાણી પણ સાચી?

શું અંબાલાલના શબ્દો હવે રાજકારણના ‘રડાર’ બની ગયા છે?

લોકો કહે છે – ગોપાલ ઇટાલિયા તો જીત્યા, પણ હેડલાઈન અંબાલાલ લઈ ગયા!

રાજ્યમાં એવી ચર્ચા છે કે હવે અંબાલાલ પટેલ જે કહેશે, તે માત્ર વરસાદ માટે નહીં, પણ રાજકીય ચિંતન માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande