વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચંદુમાણા ગામના દંપતીના અંતિમ સંસ્કાર કરાયા
પાટણ, 22 જૂન (હિ.સ.)અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં ચંદુમાણા ગામના વૃદ્ધ દંપતી કુબેરભાઈ ખેમચંદભાઈ પટેલ અને તેમની પત્ની બબીબેન કુબેરભાઈ પટેલનું કરુણ મૃત્યુ થયું હતું. બંને યુકેમાં રહેતા પુત્રને મળવા માટે મુસાફરી પર નીકળ્યા હતા, ત્યારે દુર્ઘ
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચંદુમાણા ગામના દંપતીના અંતિમ સંસ્કાર કરાયા


પાટણ, 22 જૂન (હિ.સ.)અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં ચંદુમાણા ગામના વૃદ્ધ દંપતી કુબેરભાઈ ખેમચંદભાઈ પટેલ અને તેમની પત્ની બબીબેન કુબેરભાઈ પટેલનું કરુણ મૃત્યુ થયું હતું. બંને યુકેમાં રહેતા પુત્રને મળવા માટે મુસાફરી પર નીકળ્યા હતા, ત્યારે દુર્ઘટનામાં જિંદગી ગુમાવી હતી.

દુર્ઘટના બાદ મૃતદેહ ઓળખી શકાતા ન હોવાના કારણે DNA પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 10 દિવસ પછી પરીક્ષણના પરિણામો મેચ થતાં સત્તાવાળાઓએ પરિવારજનોને મૃતદેહ સોંપ્યા હતા. પરિવારજનો મૃતદેહ લેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

બન્ને મૃતદેહોને તેમના વતન ચંદુમાણા ગામે લાવવામાં આવ્યા હતા, જ્યાં સમગ્ર ગામમાં શોકનું мહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ દંપતીના અંતિમ સંસ્કાર માટે તેમને સિદ્ધપુર મુક્તિધામ લઈ જવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande