વિસાવાડા ગામે કોઝવે દૂર નહીં થતા ખેડૂતનો અનોખો વિરોધ
પોરબંદર, 22 જૂન (હિ.સ.) : પોરબંદરના વિસાવાડા ગામે એક ખેડુતનો કોઝવેનો પ્રશ્નનુ છેલ્લા એક વર્ષથી નિરકારણ નહિં થતા આજે ઉપવાસ આંદોલન કરવાના બદલે પોતાની વ્હાલસોય ત્રણ દિકરીઓને આરએનબીના અધિકારીની ચેમ્બરમાં બેસાડી દીધી હતી. પોરબંદરના વિસાવાડા ગામે રહેતા
વિસાવાડા ગામે કોઝવે દૂર નહીં થતા ખેડૂતનો અનોખો વિરોધ.


વિસાવાડા ગામે કોઝવે દૂર નહીં થતા ખેડૂતનો અનોખો વિરોધ.


વિસાવાડા ગામે કોઝવે દૂર નહીં થતા ખેડૂતનો અનોખો વિરોધ.


પોરબંદર, 22 જૂન (હિ.સ.) : પોરબંદરના વિસાવાડા ગામે એક ખેડુતનો કોઝવેનો પ્રશ્નનુ છેલ્લા એક વર્ષથી નિરકારણ નહિં થતા આજે ઉપવાસ આંદોલન કરવાના બદલે પોતાની વ્હાલસોય ત્રણ દિકરીઓને આરએનબીના અધિકારીની ચેમ્બરમાં બેસાડી દીધી હતી.

પોરબંદરના વિસાવાડા ગામે રહેતા ખેડુત રામદેભાઈ કેશવાલાએ એક વર્ષ પૂર્વે એવી રજુઆત કરી હતી ખારીબા અને અન્ય ચાર-પાંચ તળાવના પાણી ચોમાસા દરમ્યાન પાણી વહેતુ હોય આથી 25 વર્ષ પૂર્વે કોઝવે બનાવામા આવ્યો હતો હવે તંત્ર દ્રારા નવો કોઝવે બનાવામાં આવ્યો છે અને તેમા પાણી નિકાલ માટે નાલા બનાવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી ચોમાસાના સમયમાં જુના કોઝવેના કારણે પાણીનો નિકાલ થતો જેના કારણે 70 થી 80 ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળે છે અને મકાનોમાં પણ પાણી ઘુસી જાય છે. આથી જુનો કોઝવે તોડીછ પાડવા માટે ગત વર્ષ આ વિસ્તારના ખેડુતોએ કલેકટરને રજુઆત કરી હતી અને કલેકટર દ્રારા આ કોઝવે તોડી પાડવા માટે આરએનબી સહિતના સંબધીત તંત્રને સુચના પણ આપી હતી તેમને એક વર્ષ જેવો સમય થયો છતા કોઝવે દુર કરવામા નહિં આવતા રામદેભાઇ કેશવાલાએ એ વારંવાર રજુઆત કરી હતી આ ત્યારે આરએનબીના અધિકારીએ પોલીસ બંદોબસ્ત સાથે કોઝવે દુર કરાશે તેવી ખાતરી આપી હતી તેમ છતા કામગીરી નહિં થતા 15 દિવસ પૂર્વે રામદેભાઇ અધિકારીઓને કહ્યુ હતુ કે કોઝવે દુર નહિ કરાય તો મારી ત્રણ દિકરીઓને આપર્ની કચેરીમાં મુકી જાઇશ ત્યારે અધિકારીએ કહ્યુ મુકી જજો તે મુજબ આજે રામદેભાઇ પોતાની દિકરી બંસી (ઉ.વ 15),બંસી (ઉ.વ11) અને નેહા (ઉ.વ 07)ને આરએનબીના અધિકારીની કચેરીમાં બેસાડી દીધી હતી અને જયાં સુધી મારા પ્રશ્નનુનિકારણ નહિં થાય ત્યાં સુધી ઘરે નહિં લઇ જઈશ તેમ જણાવ્યુ હતુ જેને લઇ અધિકારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે હવે જોવાનુ એ રહ્યુ કે જવાબદાર તંત્ર ખેડુતને ન્યાય મળશે કે નહિં ખેડુત રામદેભાઇએ કેશવાલા એવા આક્ષેપ પણ કર્યા છે કે ભાજપના એક આગેવાનના કહેવાથી જુનો કોઝવે દુર કરવામાં આવતો નથી તેને લઈ પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande