વોળવી પાસે રિક્ષા અને ટર્બો વચ્ચે અકસ્માત: બે ના મોત
પાટણ, 23 જૂન (હિ.સ.)સરસ્વતીના વોળવી ત્રણ રસ્તા પાસે રિક્ષા અને ટર્બો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં બે વ્યક્તિઓના દુઃખદ મોત થયા છે. શક્તિ કૃપા નામનો ટર્બો (GJ 24 X 3767) કાંસા તરફથી આવી રહ્યો હતો ત્યારે વોળવી તરફથી પાટણ જઈ રહેલી રિક્ષા (GJ 1 CZ 9565
વોળવી પાસે રિક્ષા અને ટર્બો વચ્ચે અકસ્માત: બેના મોત


પાટણ, 23 જૂન (હિ.સ.)સરસ્વતીના વોળવી ત્રણ રસ્તા પાસે રિક્ષા અને ટર્બો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં બે વ્યક્તિઓના દુઃખદ મોત થયા છે. શક્તિ કૃપા નામનો ટર્બો (GJ 24 X 3767) કાંસા તરફથી આવી રહ્યો હતો ત્યારે વોળવી તરફથી પાટણ જઈ રહેલી રિક્ષા (GJ 1 CZ 9565) સાથે તેની સામસામે અથડામણ થઈ હતી.

આ અકસ્માતમાં રિક્ષા ચલાવતા દિનેશ પરમાર (ઉ. વ. 30, રહે. કસરા, તા. કાંકરેજ)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેઓ ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. સાથે જ રિક્ષામાં મુસાફરી કરતા હરિભાઈ બજાણીયા (ઉ. વ. 60, રહે. રતનપુરા, તા. કાંકરેજ) પણ ગંભીર રીતે ઘવાઈ ગયા હતા અને તેમનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હરિભાઈ ફુગ્ગા વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા.

અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સરસ્વતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા અને વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande