રાયપુર, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, છત્તીસગઢના બે દિવસના પ્રવાસે છે. ગૃહમંત્રી અમિત શાહનો નારાયણપુરનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. હવે તેઓ રાજધાની રાયપુરમાં જ સુરક્ષા કમાન્ડરોને મળશે અને નક્સલ વિરોધી કામગીરી અંગે ચર્ચા કરશે. છત્તીસગઢ પ્રવાસના પહેલા દિવસે, તેમણે રાયપુરમાં ડીજીપી/એડીજીપી અને છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઓડિશાના વરિષ્ઠ અધિકારીઓ સાથે નક્સલવાદ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના નારાયણપુરના પ્રવાસે આવવાના હતા, પરંતુ તેમની મુલાકાત રદ કરવામાં આવી છે. નારાયણપુર વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને કારણે ગૃહમંત્રી શાહનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. આજે અમિત શાહ રાયપુરમાં સુરક્ષા કમાન્ડરોને મળશે અને નક્સલ વિરોધી કામગીરી અંગે ચર્ચા કરશે.
હિન્દુસ્થાન સમાચાર / ગેવેન્દ્ર પ્રસાદ પટેલ / કેશવ કેદારનાથ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ