શહીદને સલામ: કેન્દ્રીય ગૃહમંત્રી, શહીદ આકાશ રાવ ગિરીપુંજેના પરિવારને મળ્યા
રાયપુર, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે નવા રાયપુરમાં સુકમામાં, આઈઇડી વિસ્ફોટમાં શહીદ થયેલા આકાશ રાવ ગિરીપુંજેના પરિવારની સૌજન્ય મુલાકાત લીધી. તેમણે શોકગ્રસ્ત પરિવારને મળ્યા અને તેમને ઊંડા શ
શાહ


રાયપુર, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે નવા રાયપુરમાં સુકમામાં, આઈઇડી વિસ્ફોટમાં

શહીદ થયેલા આકાશ રાવ ગિરીપુંજેના પરિવારની સૌજન્ય મુલાકાત લીધી. તેમણે શોકગ્રસ્ત

પરિવારને મળ્યા અને તેમને ઊંડા શોક વ્યક્ત કરી અને સાંત્વના આપી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, શહીદ અધિક પોલીસ અધિક્ષક

આકાશ રાવ ગિરીપુંજેની બહાદુરી અને બલિદાનની પ્રશંસા કરતા કહ્યું કે,” તેમનું બલિદાન દેશ માટે અવિસ્મરણીય

છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે,” દેશ હંમેશા તેમના બલિદાનનો ઋણી રહેશે અને

તેમના બલિદાનને, ક્યારેય વ્યર્થ જવા દેવામાં આવશે નહીં.” શહીદની હિંમતને

પ્રેરણાદાયક ગણાવતા શાહે રાષ્ટ્ર માટે તેમના યોગદાનને અમૂલ્ય ગણાવ્યું.

આ પ્રસંગે શાહે, શહીદના પરિવારને ખાતરી આપી કે સરકાર દરેક

પગલે તેમની સાથે ઉભી છે. તેમણે કહ્યું કે,” સરકાર શહીદોના પરિવારોને શક્ય તમામ

સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.” મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ અને રાજ્ય

ગૃહમંત્રી વિજય શર્મા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ગજેન્દ્ર પ્રસાદ પટેલ/અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande