-સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું - દિલ્હીના 4 લાખ નાના અને
મોટા વ્યવસાયોને ફાયદો થશે
નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) ચાંદની ચોકના સાંસદ અને કન્ફેડરેશન ઓફ ઓલ
ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) ના રાષ્ટ્રીય
મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે સોમવારે દિલ્હી પોલીસને, વિવિધ પ્રકારના વ્યવસાયના
લાઇસન્સિંગ અને એનઓસીપ્રક્રિયામાંથી દૂર કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું.
ખંડેલવાલે કહ્યું કે,” આનાથી દિલ્હીના લગભગ 4 લાખ નાના અને મોટા વ્યવસાયોને ફાયદો થશે.”
પ્રવીણ ખંડેલવાલે દિલ્હીના મુખ્યમંત્રીના આ નિર્ણયને
ઐતિહાસિક અને દૂરંદેશી ગણાવ્યો અને કહ્યું કે,” આ વ્યવસાય કરવાની સરળતા તરફ એક
મહાન પગલું છે. ટ્રેડ લાઇસન્સિંગ સિસ્ટમમાંથી પોલીસની ભૂમિકાને દૂર કરવી એ
પારદર્શક, ભ્રષ્ટાચારમુક્ત
અને અસરકારક વહીવટ તરફ આગળ વધવા જેવું છે, જે ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવશે અને આર્થિક પ્રવૃત્તિઓને
વેગ આપશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી માત્ર બિનજરૂરી અમલદારશાહી અવરોધો દૂર થશે જ
નહીં પરંતુ, પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુના અટકાવવા અને મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવાના તેમના
મુખ્ય ફરજો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.”
સુધારેલી વ્યવસ્થા મુજબ, હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, મોટેલ, સ્વિમિંગ પુલ, વિડીયો ગેમ પાર્લર, ડિસ્કોથેક, ઓડિટોરિયમ અને મનોરંજન પાર્ક જેવા વ્યવસાયો માટે લાઇસન્સ
અને એનઓસીહવે શહેરી
સ્થાનિક સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવશે. પોલીસ-આધારિત લાઇસન્સિંગ સિસ્ટમમાં
વિલંબ અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે, વેપારી સમુદાય દ્વારા લાંબા સમયથી આ
માંગણીઓ ઉઠાવવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ