પહેલગામ આતંકવાદીઓના બે મદદગાર સાથીઓને, પાંચ દિવસના રિમાન્ડ પર એનઆઈએ ને સોંપવામાં આવ્યા
જમ્મુ, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) પહેલગામ આતંકવાદી હુમલાના બે મદદગાર સાથીઓને પાંચ દિવસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને સોંપવામાં આવ્યા છે. તેમને સોમવારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રિતેશ કુમાર દુબેની કોર
પહેલગામ આતંકવાદીઓના બે મદદગાર સાથીઓને, પાંચ દિવસના રિમાન્ડ પર એનઆઈએ ને સોંપવામાં આવ્યા


જમ્મુ, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.)

પહેલગામ આતંકવાદી હુમલાના બે મદદગાર સાથીઓને પાંચ દિવસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી

(એનઆઈએ)ને સોંપવામાં

આવ્યા છે. તેમને સોમવારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રિતેશ કુમાર દુબેની

કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એનઆઈએ એ, પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી

હતી, જેના પર કોર્ટે

રિમાન્ડ મંજૂર કર્યા હતા. પાકિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપસર તેમની ધરપકડ

કરવામાં આવી હતી.

એનઆઈએ એ, રવિવારે પહેલગામના બટકોટથી પરવેઝ અહેમદ જોથર અને

પહેલગામના હિલ પાર્કથી બશીર અહેમદ જોથરની ધરપકડ કરી હતી. 22 એપ્રિલના રોજ,

પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા, માર્યા ગયા હતા

અને 16 અન્ય ઘાયલ થયા

હતા.

એનઆઈએના જણાવ્યા અનુસાર,”ધરપકડ કરાયેલા આરોપીઓએ હુમલામાં સામેલ ત્રણ સશસ્ત્ર

આતંકવાદીઓની ઓળખ જાહેર કરી છે અને પુષ્ટિ પણ કરી છે કે, તેઓ પ્રતિબંધિત આતંકવાદી

સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઈટી) સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિક હતા.”

એનઆઈએની તપાસ મુજબ, જમ્મુ સ્થિત ટ્રાવેલ ગાઇડ્સ પરવેઝ અને બશીરે હુમલા પહેલા

હિલ પાર્કમાં એક મોસમી ઢોક (ઝૂંપડી) માં ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓને જાણી જોઈને

આશ્રય આપ્યો હતો.

એજન્સીએ જણાવ્યું હતું કે,” આ બંને વ્યક્તિઓએ આતંકવાદીઓને ખોરાક, આશ્રય અને

લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો જેમણે 22 એપ્રિલના રોજ તેમની ધાર્મિક ઓળખના આધારે પ્રવાસીઓની

પસંદગીપૂર્વક હત્યા કરી હતી, જેના કારણે તે અત્યાર સુધીનો સૌથી ખરાબ આતંકવાદી હુમલો

બન્યો હતો.”

એનઆઈએ એ, બંને આરોપીઓને જમ્મુના વધારાના જિલ્લા અને સત્ર

ન્યાયાધીશ રિતેશ કુમાર દુબેની કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે તેમને 27 જૂન સુધી પાંચ

દિવસ માટે એનઆઈએ કસ્ટડીમાં મોકલી

દીધા.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande