સુરત, 23 જૂન (હિ.સ.)- સુરત શહેરમાં ભારે વરસાદ પછી અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. ખાસ કરીને વેડ દરવાજા, જીલાની બ્રિજ, હોડી બંગલા, રિવર વ્યૂ અને વરિયાળી બજાર જેવા વિસ્તારોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે.
સ્થાનિક રહેવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘરમાં પાણી ઘૂસી ગયાં છે, વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત છે અને નાની દુકાનોના ધંધા ઠપ્પ થઈ ગયાં છે.
આ સ્થિતિમાં કૉંગ્રેસના નેતા અસલમ સાઇકલવાલાએ મનપાની કામગીરી પર કટાક્ષ કરતા કહ્યું કે: દર વર્ષે આવો જ દૃશ્ય જોવા મળે છે. મનપા સાવ નિષ્ફળ નીવડી છે. જો પુરતીછ તૈયારી હોત, તો લોકો આજે આ હાલતમાં ન હોત. તેમણે વધુમાં કહ્યું કે શહેરની જનતાને પીડા કેવળ વરસાદથી નહિ, પણ તંત્રની બેદરકારીથી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે