અમદાવાદ જિલ્લામાં સભા - સરઘસબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું
અમદાવાદ, 23 જૂન (હિ.સ.) : અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લા હેઠળના સમગ્ર વિસ્‍તારમાં ચાર માણસોથી વધુ માણસો ભેગા થવા પર સભા કે સરઘસ કાઢવા પર અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીએ પ્રતિબંધ ફરમાવ્‍યો છે. જે વ્‍યક્તિ સરકારી ફરજ પર અથવા ક
અમદાવાદ જિલ્લામાં સભા - સરઘસબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું


અમદાવાદ, 23 જૂન (હિ.સ.) : અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લા હેઠળના સમગ્ર વિસ્‍તારમાં ચાર માણસોથી વધુ માણસો ભેગા થવા પર સભા કે સરઘસ કાઢવા પર અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીએ પ્રતિબંધ ફરમાવ્‍યો છે. જે વ્‍યક્તિ સરકારી ફરજ પર અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ જેઓ ફરજ પર હાજર હોય, લગ્‍ન વરઘોડા કે સ્‍મશાન યાત્રાને આ હુકમ લાગુ પડશે નહીં.

આ જાહેરનામું તા. ૦૩/૦૭/૨૦૨૫ સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫(૧) હેઠળ શિક્ષાને પાત્ર થશે, એમ જાહેરનામામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande