પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદર ખાપટ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમાં અંદાજિત 350 થી વધુ વિધાર્થીની બહેનો અભ્યાસ કરે છે, સાથો સાથ તેમના રહેવા-જમવાની વ્યવસ્થા પણ વિધાલયની હોસ્ટેલમાં જ સરકાર દ્વારા કરવામાં આવેલ છે. અહી ધોરણ 6 થી 12 સુધીની વિધાર્થી બહેનોને શિક્ષણ સાથે રહેવા માટે પ્રવેશ આપવામાં આવે છે. હાલ નવા સત્રની શરૂઆત થઈ હોય નવા પ્રવેશો પણ મેરિટના આધારે ગુજરાત શિક્ષણ દ્વારા ફાળવવામાં આવ્યા હોય. અહીં વિધાર્થીની બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા થોડા સમયથી પીવા માટે તેમજ અન્ય ઉપયોગ માટે જે પાણીના બોરની વ્યવસ્થા હતી તેમા તળમાં પાણી નહિવત હોવાને કારણે પાણીની સમસ્યા સર્જાય છે. પીવા માટે તેમજ હોસ્ટેલના અન્ય ઉપયોગ માટે પાણી પુરતુ હોતુ નથી, અન્ય કોઈ વ્યવસ્થાથી પણ માત્ર એક જ ટાંકાની વ્યવસ્થા થતી હોય જે પુરતુ નથી જેથી નવા પ્રવેશ માટે પણ વિધાર્થીનીઓને અહીં બોલાવી મુશ્કેલ બન્યુ છે.
આપ સાહેબને વિધાર્થી નેતા તરીકે આ પત્રરૂપે અરજ છે અહી પાણી માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ પાણી માટેનો જે બોર છે તેનજે થોડો ઉંડો કરવામાં આવે જે કરીને ફરી અહી ભવિષ્યમાં પાણીને લઈને કોઈ સમસ્યા બને નહીં, હાલ પુરતુ કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે હાલ જે વિધાર્થી બહેનો અહીં અભ્યાસ કરી રહી છે તેમને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહિ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya