સુરત, 23 જૂન (હિ.સ.)-સુરત શહેર સહિત ઉપરવાસમાં
ગઈકાલ રાતથી થઈ રહેલા અવિરત વરસાદને પગલે રાંદેર અને સિંગણપોરને જોડતો વિયરકમ
કોઝવે ઓવરફ્લો થયો છે. પાણીનું સ્તર 6 ફૂટની સપાટીએ પહોંચતા હાલ કોઝવે વાહનવ્યવહાર
માટે મહાનગર પાલિકા દ્વારા બંધ કરાયો છે.
શહેરમાં સતત વરસાદને કારણે SMC કમિશ્નર શાલિની અગ્રવાલ દ્વારા ICCC(ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર) ખાતેથી સતત મોનીટરીંગ કરાઇ રહ્યું છે. તેમજ સંબંધિત
અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે