પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદરના ચોપાટી પરથી એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી જણાવેલ કે એક મહિલા નિઃસહાય મળી આવેલ છે તો તમો એમની મદદ માટે આવો જેથી અભયમ ટિમ પહોંચી મહિલાને કાઉન્સીલિલ કરી બચાવી હતી. અભયમ ટીમ મહિલાની મદદ માટે પહોંચી જઈ ને તેમનુ નામ, સરનામું જાણેલ તેમને પ્રોત્સાહન આપ્યુ જાગૃત નાગરિકે જણાવેલ કે મહિલા દરિયા મા પડવા જતા હોય જેથી શંકા જતા તુરંત દોડી ને તેમને બચાવી લીધેલ હતા.
મહિલાનુ કાઉન્સેલિંગ કરતા તેમને જણાવેલ કે, મારી માનસિક સ્થિતિ સારી ન હોવાથી હું ભુલથી અહિંયા પહોંચી ગયેલ શું મારે કયા જવુ કયા નઈ મને કાંઈ ખબર પડતી ન હોવાના કારણે દરિયામાં પડી આત્મહત્યા કરવા જતી હતી. મહિલાને અભયમ ટીમ દ્વારા આશ્વાસન આપ્યું આત્મહત્યા કરવાના વિચારમાંથી બહાર લાવી તેમની સમયસર સારવાર કરાવા માટે જણાવ્યું. આગળ મહિલાએ જણાવેલ કે તે બોટાદના રહેવાસી છે તે તેમના પતિ તેમજ બાળકો સાથે રહે છે. જેથી મહિલાના પતિ અને ભાઈ ના મોબાઈલ નંબર મેળવીને, તેમને ફોન દ્વારા જાણ કરેલ કે મહિલા હાલ હમારી ટીમ સાથે સુરક્ષિત છે.
મહિલાના પતિ એ જણાવેલ કે, મારી પત્ની તેમના પિયર ભાવનગર હતા. ત્યાંથી કોઈને કહયા વગર કાલે બપોરના ઘરેથી નિકળી ગયેલા હતા. અભયમ ટીમ દ્વારા મહિલાના પતિને જણાવેલ કે, હાલ મહિલા હમારી ટીમ સાથે સુરક્ષિત તમો એમને લેવા માટે ના આવો ત્યાં સુધી અમો તેમને સુરક્ષિત જગ્યા પર રાખીશુ .મહિલાને તેમના પતિ લેવા માટે ના આવે ત્યાં સુધી, તેમની સુરક્ષાને ધ્યાને લઈને હાલ આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે હેન્ડ ઓવર કરેલા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya