-પિતાનું મૃત્યુ થતા વ્હાલસોયી દીકરીઓએ અંતિમ ક્રિયાઓ કરી
-જેન્તીભાઇ ગાંધીના કેલ્વિકુવા ગામે સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા
-વર્ષોથી ગાંધી પરીવાર કરી રહ્યો છે, હોલસેલનો વેપાર તેમની અંતિમક્રિયા મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચ 23 જૂન (હિ.સ.) નેત્રંગ ચાર રસ્તા નજીક જગન્નાથ કોમ્પલેક્ષમાં રહેતા જેન્તીભાઇ ગાંધીને વસ્તારમાં ત્રણ દીકરીઓ જ છે.ઘણા સમયથી બીમાર રહેતા હોય ગતરોજ તેમનું મૃત્યુ થયું હતું .તેમની આજે કેલ્વિકુવા ગામે આવેલા સ્મશાનમાં અંતિમસંસ્કાર વિધિ કરવામાં આવી હતી ત્યારે તેમની ત્રણેય દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપી અંતિમ વિદાય આપી હતી.આ સમયે પિતાના દુઃખમાં વ્યથિત ત્રણેય દીકરીઓ ચોધાર આંસુએ રડી પડી હતી.
નેત્રંગના જેન્તીભાઇ ગાંધી ચાર રસ્તા ઉપર પંચવટી સ્ટોર્સ નામની પેઢીમાં હોલસેલનો ધંધો કરતા હતા.બે વર્ષ પહેલા તેમને હૃદય રોગનો હુમલો આવતા સ્ટેન્ટ મુક્યા હતા.પરંતુ તેમ છતાં તબિયત વારેઘડીએ બગડતી રહેતી હોય ગતરોજ આકસ્મિક તેમનું મૃત્યુ થયું હતું.ત્યારે મોટી દીકરી મનાલી રાજપીપળા તેનાથી નાની ક્રિષ્ના અને વંદના વડોદરા સાસરે છે તે ત્રણેય નેત્રંગ આવી ગઈ હતી.આજરોજ સવારે પિતાની અંત્યેષ્ટિમાં કેલ્વિકુવા સુધી ત્રણેય બહેનોએ આવી દુઃખ સાથે પિતાની અંતિમ સંસ્કાર વિધિ કરી મુખાગ્નિ આપી હતી.ત્યારે હાજર સૌની આંખમાં આંસુ આવી ગયા હતા.પરિવારમાં ત્રણ દીકરીઓ જ હોવાથી દીકરાની ગરજ ત્રણ દીકરીઓએ સારી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ