સુરત, 24 જૂન (હિ.સ.)- સમગ્ર સુરત જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે જિલ્લાના
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં સવારે પલસાણા તાલુકાના ગાંગપુર ખાતે
હળપતિવાસી, ડેરી ફળીયા, ગીરનાર ફળીયામાં વરસાદી પાણી ભરાઈ જતા 134 લોકોને
સ્થળાંતરિત કરીને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા.
જયારે ધામડોદ ગામે વસાવા
ફળીયાની બાજુમાં આવેલી કોતરોને લીધે પાણી ભરાઈ જતા 14 લોકોને સ્થળાંતર કરીને સલામત
સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પલસાણા તાલુકની બલેશ્વર ખાડીમાં પાણી ભરતા છ ગામોના
રસ્તાઓને તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે