જૂનાગઢ, 25 જૂન (હિ.સ.) તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ- ૨૦૨૫ યોજાનાર છે.
જૂનાગઢ જિલ્લા પ્રવેશોત્સવ માટે કુલ ૭૧ રૂટ નકકી કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં અંદાજે બાલવાટિકામાં કુલ ૮૦૬૯, ધોરણ– ૧ માં ૯૦૭૨, ધોરણ-૯ માં ૯૮૬૭, ધોરણ– ૧૧ માં ૧૨૭૩૮ એમ મળીને ૩૯૦૦૦ જેટલા બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાશે. એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં પદાધીકારીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ“ ની થીમ સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન થનાર છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫માં જિલ્લામાં ધારાસભ્યઓ, સચિવઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ