સુરત, 25 જૂન (હિ.સ.)- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
તા.26-06-2025 ના રોજ સવારે 09:00 કલાકે ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી
પ્રા.શાળા અને શ્રી પ્રમુખસ્વામી મહારાજ પ્રા. શાળા ખાતે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા
પ્રવેશોત્સવ-2025’માં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે 10:20 કલાકે પાલ સ્થિત શ્રીઓમકારસુરી
આરાધના ભવનની મુલાકાત લેશે. 10:45 કલાકે અડાજણ-હજીરા રોડ, અડાજણ સ્થિત ગુરૂરામપાવનભુમિના મુખ્ય ગેટની
તકતિ અનાવરણ વિધિ અને મહામાંગલિક આદિ ઉત્સવમાં હાજરી આપશે. 11.15 કલાકે એમટીબી
કોલેજ ખાતે BJYM - Mock Parliament કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે