ગાંધીનગર જિલ્લામાં 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે, સેન્ટ્રલ વિસ્ટા ખાતે ડો.આંબેડકરની પ્રતિમાથી ટાઉનહોલ સુધી રેલી યોજાઈ
ગાંધીનગર, 25 જૂન (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં ''સંવિધાન હત્યા દિવસ'' નિમિત્તે લોકશાહીના મૂલ્યો માટે સંઘર્ષ કરનારા બંધારણના હિમાયતીઓને યાદ કરવાના હેતુથી ૨૫ જૂનના રોજ સેન્ટ્રલ વિસ્ટા ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાથી ટાઉન હોલ સુધી વિશેષ
સંવિધાન હત્યા દિવસ નિમિત્તે રેલી


સંવિધાન હત્યા દિવસ નિમિત્તે રેલી


સંવિધાન હત્યા દિવસ નિમિતે રેલી


ગાંધીનગર, 25 જૂન (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે લોકશાહીના મૂલ્યો માટે સંઘર્ષ કરનારા બંધારણના હિમાયતીઓને યાદ કરવાના હેતુથી ૨૫ જૂનના રોજ સેન્ટ્રલ વિસ્ટા ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાથી ટાઉન હોલ સુધી વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર કલેકટર મેહુલ કે દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કટોકટી કાળમાં લોકશાહીના મૂલ્યો માટે સંઘર્ષ કરનારા બંધારણના હિમાયતીઓને યાદ કરતા, રમત ગમત વિભાગ તથા નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, નહેરુ યુવા કેન્દ્રના સભ્યો તથા વહીવટી તંત્રના કર્મચારીઓ મળી 200 થી વધુ લોકો આ રેલીમાં સહભાગી બન્યા હતા.

ભારતના લાખો નાગરિકોને વારસામાં મળેલી આઝાદી અને બંધારણના ઘડવૈયાઓએ આપેલા બંધારણને પૂન: સ્થાપિત કરવા જેલના સળીયા ગણ્યા હતા. દેશની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાનું યોગદાન આપનારા લડવૈયાઓને અંજલિ આપવા માટે કલેકટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande