જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે, અગમચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા થતી અસરકારક કામગીરી
જૂનાગઢ 26 જૂન (હિ.સ.) જિલ્લાના તમામ ગામોમાં આરોગ્ય વિષયક જનજાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્યલક્ષ
જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે, અગમચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા થતી અસરકારક કામગીરી


જૂનાગઢ 26 જૂન (હિ.સ.) જિલ્લાના તમામ ગામોમાં આરોગ્ય વિષયક જનજાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે.

આરોગ્યલક્ષી કામગીરીમાં મેડીકલ/પેરામેડીકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેમાં લોકોને તપાસવામાં કરવામાં આવી હતી. જેમાં તાવ, ઝાડા-ઉલટી, શરદી-ખાંસી વગેરેની પ્રાથમિક દવાઓ (ORS, ક્લોરીન ટેબ્લેટ વગેરે) અને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. ગ્રામ પંચાયત દવારા દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત તાલુકા હે્લ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, સુપરવાઈઝર દ્રારા તમામ ગામોનું સુપરવિઝન કરવામાં આવે છે. તેમજ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ સક્રિય છે અને મોનીટરીંગ કરવામાં આવે છે.આ ઉપરાંત લોકોમાં જનજાગૃતિ વધે એ માટે જેમ કે સ્વચ્છ અને ક્લોરીનયુક્ત પાણી પીવું, ઝાડા-ઉલટીના કેસોમાં ORS નો ઉપયોગ કરવો, વાસી અને બહારનો દૂષિત ખોરાક ખાવો નહિ, વધુ સારવાર માટે તુરંતજ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે.

જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે છેલ્લા ૧૫ દિવસમાં આરોગ્ય વિભાગ દવારા ૧૨,૮૧,૧૫૦ વસ્તી સર્વે કરેલ છે. જેમાં સામાન્ય તાવના ૪,૨૬૮ દર્દી, ઝાડાના ૬૧૬ દર્દી, ઝાડા-ઊલટીના ૬૨ દર્દી, શરદી-ખાંસીના ૫,૮૪૫ દર્દી તેમજ લાઈન લીકેજ ૦ મળી આવેલ છે. તદઉપરાંત આરોગ્ય વિભાગ દવારા ૧,૪૬,૭૭૦ ક્લોરીન ટેબ્લેટ વિતરણ, ૧,૩૫૬ ORS વિતરણ તેમજ ૬૦૮ મેડીકલ કેમ્પમાં ૧૦,૭૯૭ દર્દીને આરોગ્ય સારવાર આપેલ છે.

જૂનાગઢ જિલ્લામાં વાહકજન્ય રોગ અટકાયતી અંતર્ગત મેલેરિયા સંભવિત ૧૬ ગામોમાં આલ્ફાસાઈફરમેથીન થી ઇન્સેકટીસાઈડ રેસીડયુઅલ સ્પ્રેઈંગ ની કામગીરી પૂર્ણ કરેલ છે. જેમાં ૧૧,૭૬૦ વસ્તી અને ૨,૧૦૯ ઘરો ને આવરી લેવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લામાં વાહકજન્ય રોગ અટકાયતી અંતર્ગત તમામ ગામોમાં પેરા મેડીકલ સ્ટાફ તેમજ આશા દ્રારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી પોરાનાશક કામગીરી, પોરાભક્ષક માછલી નું વિતરણ તેમજ જનજાગૃતિ ની કામગીરી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande