સાંસદ ના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસ અન્વયે કાર્યક્રમ યોજાયો, કૃષિ યુનિવર્સિટી થી કોલેજ સુધી ત્રિરંગા રેલી યોજાઈ, કોલેજના પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ
જૂનાગઢ 26 જૂન (હિ.સ.) જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ સભાગૃહ ખાતે ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણતાએ સંવિધાન હત્યા દિવસ મનાવાયો હતો. સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસ અન્વયે યોજાયેલ આ કાર્યક્
ત્રિરંગા રેલી યોજાઈ


જૂનાગઢ 26 જૂન (હિ.સ.) જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ સભાગૃહ ખાતે ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણતાએ સંવિધાન હત્યા દિવસ મનાવાયો હતો.

સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસ અન્વયે યોજાયેલ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ૧૯૪૭માં આપણો દેશ આઝાદ થયો હતો. ડો. બાબા સાહેબ આંબેડકર ની અધ્યક્ષતામાં દેશ હિતમાં કામ કરવા અને સરકાર ચલાવવા બંધારણ બનાવવામાં આવ્યું હતું.

૨૫ જૂન ૧૯૭૫ના દિવસે કટોકટી લાદવામાં આવી હતી.આ દરમિયાન દેશભરમાં અશાંતિ,અરાજકતા વ્યાપી ગઈ હતી.આ સમયે દેશહિતમાં કામ કરનાર પક્ષ, લોકો, મીડિયાને જેલહવાલે કરવામાં આવતા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજની અને આગામી પેઢી બંધારણની શક્તિ શું છે, કટોકટી દરમિયાન દેશની સ્થિતિ શુ હતી એ જાણે એ માટે દર વર્ષે તા. ૨૫ જુનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ છે.

આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.આ અવસરે મહાનુભાવોએ સભાગૃહ માં રાખવામાં આવેલ કટોકટી દરમિયાનની યાદોના સ્મરણોનું પ્રદર્શન નિહાળ્યુ હતુ.

કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનાર જૂનાગઢના મહેન્દ્રસિંહ પઢિયાર એ આ તકે કટોકટી શું હતી, ગુજરાત અને જૂનાગઢમાં બનેલ ઘટનાનો ચિતાર આપ્યો હતો. તેમજ કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનાર જૂનાગઢ જિલ્લાના મહેન્દ્રસિંહ પઢિયાર, અને શ્રી સુખદેવસિંહ, નાથાભાઈ મોરીનું મહાનુભાવોના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ અવસરે કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનાર અન્ય મહેન્દ્રભાઈ મશરૂ , માર્કેંડભાઈ ભટ્ટ, શ્રી લાલવાણી ભાઈ તેમજ મિશા હેઠળ જેલવાસ ભોગવેલ દેશભક્તોનું નું પણ સ્મરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કર્યું હતું.કટોકટીના ૫૦ વર્ષની યાદમાં રાજયકક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ ગાંધીનગર ખાતે થી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેનું ઉપસ્થિત સર્વેએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

કાર્યક્રમ બાદ બેન્ડની સુરાવલી વચ્ચે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતેથી ત્રિરંગા રેલી ને મહાનુભવોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ ત્રીરંગા રેલી કૃષિ યુનિવર્સિટી થી બહાઉદીન કોલેજ સુધી યોજાઈ હતી. ત્યાર બાદ બહાઉદીન કોલેજ ના પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પોલીસના જવાનો, મ્યુનિસિપલ કોર્પોરેશન ,વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ, યોગ બોર્ડના સભ્યો એનસીસી કેડેટ્સ, કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ કર્મચારીઓ, વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાઉદીન કોલેજ ખાતે વિનામૂલ્યે રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ,પોલીસ વડા સુબોધ ઓડેદરા, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ કૃષિ યુનિ. ના વાઈસ ચાન્સેલર ડો.વી.પી. ચોવટિયા,ડીઆરડીએ નિયામક પી.એ. જાડેજા,નિવાસી અધિક કલેકટર સુ કે. બી. પટેલ, મેયર ધર્મેશભાઈ પોશિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર, મનપાના દંડક કલ્પેશભાઈ અજવાણી,શાસક પક્ષ નેતા મનન અભાણી, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સહિતના પદાધિકારીઓ,અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande