વલસાડ, 26 જૂન (હિ.સ.)- ઓલ ઈન્ડિયા રેલવે પેન્શનર્સ વેલફેર ફેડરેશન દ્વારા છેલ્લા દસ વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ગામમાં આદિવાસી વિદ્યાર્થીઓને નોટબુક, કંપાસ, પેન- પેન્સિલ અને વોટર બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 1 થી 12 ના 250 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ સંસ્થા દ્વારા સ્વયંભૂ કલેક્શન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં સંસ્થાના પ્રમુખ અત્તરસિંગ, મહામંત્રી રઘુનાથ ચૌહાણ તેમજ ખજાનચી એન.પી. સોલંકી હાજર રહ્યા હતા.
વેર્સ્ટન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના ભૂતપૂર્વ ડિવિઝનલ સેક્રેટરી પ્રકાશ સાવલકરે હાજર રહી કંપાસ વિતરણ તથા રેલવેના અમિત ગુપ્તા તેમજ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના વાપી શાખાના મેનેજરે હાજર રહી વોટર બોટલનું વિતરણ કર્યુ હતું. ફેડરેશનના અન્ય સભ્યો તેમજ કમિટી મેમ્બર એસ. રામદાસ, જે.પી.મિશ્રા, જે.પી. ગુપ્તા, વી.એસ.શર્મા, અશોક પાટીલ, સારસ્વત, એમ. કે. સેની અને એસ. કે. શર્માએ હાજર રહી કાર્યને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે