દાહોદ જિલ્લમાં ભગવાન શ્રી જગન્નાથજીની 18મી રથ યાત્રા ધામ ધૂમ થી નીકળી
સાંસદ જસવંતસિંહ અને DSp ઝાલા રહ્યા ઉપસ્થિત
૨


Dahod rathyatra1


દાહોદ , 27 જૂન (હિ.સ.) દાહોદ જિલ્લમાં ભગવાન શ્રી જગન્નાથજીની 18મી રથ યાત્રા ધામ ધૂમ થી નીકળી સાંસદ જસવંતસિંહ ભાભોર, DSP ડૉ રાજદીપસિંહ ઝાલા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ શહેર ના હનુમાન બજાર ખાતે આવેલ શ્રી રણછોડરાય ના મંદિરેથી સવારે 8.30 વાગે ભગવાન શ્રી જગન્નાથ ની રથ યાત્રા માટે વહેલી સવારે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર ,જિલ્લા પોલીસ વડા ડૉ રાજદીપસિંહ ઝાલા ,નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી , જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયા , દાહોદ પાલિકા પ્રમુખ , ઉપપ્રમુખ , તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પેહલા શ્રી ભગવાન જગન્નથજી ની આરતી પેહલા સાંસદ જસવંતસિંહ અને DSP ડૉ રાજદીપસિંહ ઝાલા અને પછી આ તમામ મહાનુભાવોએ આરતી કરી અને ત્યાર બાદ ભગવાન ની રથ યાત્રા ને આગળ વધારવા માટે પહિંદ વિધિ જસવંતસિંહ એ કરી હતી અને પછી દોરડા વડે ભગવાનના રથ ને આગળ તરફ વધાર્યો હતો અને યાત્રા ની શરૂઆત કરવામાં આવી અને ત્યાંથી નીકળી અને રથ યાત્રા દાહોદ ના માર્કેટ પાસેથી થઇ અને પડાવ થઇ સરદાર ચોક થી નેતાજી બજાર થઇ અને દોલતગંજ બજારમાં થઇ અને સોનીવાડ મામાના ઘરે વિશ્રામ માટે રોકાશે . અને પરત ત્યાંથી બપોરે 1.30 વાગે નીકળી અને દાહોદ ના ગોવિંદનગર વિસ્તારમાંથી , એમ .જી.રોડ થી તળાવ થઇ માણેકચોક વાળા રસ્તે પરત રણછોડ રાયજીના મંદિરે સાંજે 7 કલ્લાકે પહોંચશે. રથ યાત્રામાટે દાહોદ જિલ્લા પોલીસ વડાએ પોલીસ ટીમમાં ડી.વાય એસ.પી , પી.આઈ ,પી. એસ આઈ કોન્સ્ટેબલો ને જુદા જુદા પોઈન્ટો આપી ચાંપતો બંદોબસ્ત રાખ્યો છે અને કોઈ પણ અનિછનીય બનાવ ના બને તેની પુરે પુરી તકેદારી રાખી છે. દાહોદ ની આ રથ યાત્રામાં લોકો વહેલી સવારથીજ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દાહોદમાં આ વખતે ઠેર ઠેર ચા, પાણી અને નાસ્તાના ભંડારાઓ ખુબ જોવા મળ્યા હતા. ઓપેરેશન સિંદૂર ની ઝાંખી સાથે બ્રાહ્મમોશ અને તેજસ વિમાન લોકો નું મોટું આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. દાહોદ જિલ્લામાં લીમડી અને ઝાલોદમાં પણ રથયાત્રા નીકળી હતી ઝરમર ઝરમર વરસાદમાં પણ લોકો રથ યાત્રામાં જોડાયેલા છે અને રથ યાત્રા હાલ નગરમાં ફરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande