મોડાસા, 28 જૂન (હિ.સ.) આજરોજ રથયાત્રાના શુભ દિવસે ધી માલપુર નાગરિક સહકારી બેંક માલપુરમાં નવીન ઓફિસનનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય જસુભાઇ શિવાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માલપુરના એપીએમસીના ચેરમેનભાઈ નિશ્ચલભાઈ પટેલ, માલપુર નાગરિક બેંકના ચેરમેન મિતુલભાઈ મહેતા, એમ ડી યોગેશભાઈ પંડ્યા, તેમ જ બોર્ડ ઓફ ડીરેક્ટર્સ માલપુર ગામના વેપારીઓ તેમ જ શેર સભાસદો હાજર રહ્યા હતા જશુભાઈ શીવાભાઈ પટેલે માલપુર નાગરિક બેંક તેમજ તેમના બોર્ડ ઓફ ડીરેક્ટરોના કાર્યના વખાણ કર્યા હતા આમ આ શુભ દિવસે નાગરિક બેંક બેંકના પ્રગતિમાં વધારો થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ