મોડાસા, 28 જૂન (હિ.સ.) અરવલ્લી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અરૂણભાઈ પટેલની નિમણુંક કરવામાં આવતાં નવિન પ્રમુખ અરૂણભાઈ પટેલે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મોડાસા ખાતે સત્ય નારાયણ ભગવાનની કથાનું આયોજન કરી રથયાત્રાના પાવન દિવસે તેમનો કાર્યભાર સંભાળ્યો હતો.
રાજકીય પ્રયોગશાળા ગણાતા અરવલ્લી જીલ્લામાં રાજકીય ક્ષેત્રે કોંગ્રેસે વધુ મજબૂતાઈથી કોંગ્રેસ તરફી રાજકીય સત્તા કબજે કરવા અત્યારથી કમર કસી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સાફ છબી ધરાવતા તેવા પાટીદાર નેતા અરૂણભાઇ પટેલની અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સંગઠન પ્રમુખ તરીકેની નિમણૂંક કરી અરવલ્લી જિલ્લા સંગઠનને વધુ મજબૂત કરવા કમર કસી છે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીનું પ્રભુત્વ ધરાવતા અને પાટીદાર સમાજનું કાર્ડ ખેલતા અને ચૌધરી સમાજમાંથી તેઓની ઉપર પસંદગીનો કળશ ઉતારતાં અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકરો, હોદ્દેદારો, સત્તાધિશોમાં, અને યુવાનોમાં તમામ ગામડાઓમાં ઠેર ઠેર ખુશાલી નો માહોલ જોવા મળ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને આભાર માન્યો હતો......
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ