મનરેગા યોજના કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયની ધરપકડ
કોર્ટે હીરા જોટવાને 6 દિવસના આપ્યા રીમાન્ડ ભરૂચ પોલીસ કરી રહી છે તપાસ હાલમાં જ સરપંચ બનેલા દિગ્વિજયની પણ ધરપકડ એલસીબી ભરૂચે કરી છે હાંસોટના કરાર આધારિત ટેક્નિકલ ઓપરેટર સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરાય છે ભરૂચ 28 જૂન (હિ.સ.) દાહોદ બ
મનરેગા યોજના કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયની ધરપકડ


મનરેગા યોજના કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયની ધરપકડ


કોર્ટે હીરા જોટવાને 6 દિવસના આપ્યા રીમાન્ડ ભરૂચ પોલીસ કરી રહી છે તપાસ

હાલમાં જ સરપંચ બનેલા દિગ્વિજયની પણ ધરપકડ એલસીબી ભરૂચે કરી છે

હાંસોટના કરાર આધારિત ટેક્નિકલ ઓપરેટર સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરાય છે

ભરૂચ 28 જૂન (હિ.સ.)

દાહોદ બાદ હવે ભરૂચ જિલ્લામાં પણ મનરેગા યોજનામાં થયેલો ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવ્યો છે. આ કૌભાંડમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા તેમજ હાંસોટના ટેકનિકલ ઓપરેટર સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ 67 ગામોમાં 470 કામો દરમિયાન 7.49 કરોડની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે.

ભરૂચ જિલ્લાના હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકાના 67 ગામોમાં મનરેગા યોજના હેઠળ વિવિધ રોડ, માટી , મકાન રીપેર વગેરે જેવા કામો દર્શાવવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે વાસ્તવમાં માનવશ્રમનો ઉપયોગ થયા વિના, મશીનથી કામો કરાવાયા હતા અને નકલી મજૂરોના નામે ચુકવણીઓ કરવામાં આવી હતી. ઓછી ગુણવત્તાવાળું મટિરિયલ પુરું પાડીને વધારે બિલિંગ બતાવવામાં આવ્યું અને અનેક કામો ફક્ત દસ્તાવેજો પર જ કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતોની મંજૂરી વિના, કાગળ પર દરખાસ્તો તૈયાર કરવામાં આવી અને તે આધારે સરકારી ભંડોળ મેળવી લૂંટ ચલાવવામાં આવી હતી.

બંને કૌભાંડમાં સંડોવાયેલી એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ (પિયુષ રતિલાલ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ (જોધા નારાયણ ) હીરા જોટવા સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું છે. મળતી માહિતી મુજબ, આ પૈકી 3 થી 4 કરોડ જેટલા રૂપિયા ‘દિગ્વિજય રોડવેઝ’ અને ‘જોટવા એન્ટરપ્રાઇઝ’ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાસોટના TDO કચેરીના આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલર પણ કૌભાંડમાં સંડોવાયેલો છે, જેને કામ પૂર્ણ જાહેર કરવા માટે દસ્તાવેજોમાં ખોટી નોંધણી કરી હોવાનું કહેવાય છે.

સમગ્ર કૌભાંડની જાણ થતા ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારી પ્રતીક ઉદયસિંહ ચૌધરીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે FIR નોંધાઈ અને તાત્કાલિક SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) રચાઈ હતી. જેમાં SITની તપાસ બાદ હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય તેમજ ટેકનિકલ ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડ મામલે 26 જૂનના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવાની ગીર સોમનાથથી ધરપકડ કરી હતી, ત્યાર બાદ 27 જૂનના રોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમે તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરી હતી. 27 જૂનની મોડીરાતે હીરા જોટવાને લઇ પોલીસ ભરૂચ પહોંચી હતી અને પૂછપરછ કરી હતી. ત્યારબાદ હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી હતી. મનરેગા કૌભાંડના આરોપી હીરા જોટવા અને રાજેશ ટેલરને પોલીસ કાફલા સાથે ભરૂચ કોર્ટમાં રજૂ કરાયા હતા આ દરમિયાન કોર્ટે બંનેના 6-6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande