દાહોદ, 28 જૂન (હિ.સ.) શાળા પ્રવેશોત્સવ એટલે ઉજવળ ભવિષ્યનો મંગલ પ્રવેશ વિશ્વના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલા શિક્ષા યજ્ઞના મહત્વના કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવના શુભ અવસરે દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોર ની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી ઉત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ નો ભવ્ય કાર્યક્રમ રાહ ડુંગરી પ્રાથમિક શાળા મોટી ખરજ ખાતે યોજાયો સાથે સાથે 66 લાખના ખર્ચે તૈયાર થયેલ છ ઓરડાવાળા એક નવિન બિલ્ડીંગ નું લોકાર્પણ સાંસદના હસ્તે કરવામા આવ્યું હતું.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રાહ ડુંગરી પ્રાથમિક શાળા મોટી ખરજ ખાતે યોજાયેલ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં દાહોદના સંસદનુ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરાવી પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જેમાં ધોરણ 1 થી 8 ના કુલ 672 પૈકી 346 કુમાર અને 326 કુમારી પૈકી 109 વિદ્યાર્થીઓને ને પુસ્તક આપી પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીએ બેટી બચાવો વિષય પર વક્તવ્ય આપ્યું હતું.
રાહ ડુંગરી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ પ્રવેશોત્સવમા ધોરણ 1 થી 8 માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ પ્રથમ ક્રમે આવ્યા હતા તેઓને પ્રમાણ પત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પર્યાવરણ વિશેની બાળકોમાં અને વાલીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુસર સ્કૂલના પટાંગણમાં મુખ્ય મહેમાન, વાલીઓના અને શાળાના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, CRC કોરડીનેટર મહેશ તાવીયાડ, શાળાના આચાર્ય લલ્લુભાઇ ગોહિલ, તાલુકા સભ્ય, આગેવાનો, વડીલો, યુવાનો , શાળા સ્ટાફ, તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah