સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે, પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક યોજી
સોમનાથ, 28 જૂન (હિ.સ.) યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 27-06-2025ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આયોજન કર્યું
પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક


સોમનાથ, 28 જૂન (હિ.સ.) યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 27-06-2025ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આયોજન કર્યું હતું. તેમાં સાહિત્ય વિષયના Ph.D. સંશોધકો ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રેની યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ પ્રધાનાચાર્ય નરેન્દ્રકુમાર પંડ્યા અધ્યક્ષરૂપે તથા માર્ગદર્શકરૂપે ઉપસ્થિત રહ્યા હતાં. બાહ્ય-વિષય નિષ્ણાતરૂપે એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. રવીન્દ્રકુમાર ખાંડવાલા, સાહિત્ય સંકાયના અધ્યક્ષ અને માર્ગદર્શક ડૉ. ડી. એમ. મોકરીયા, માર્ગદર્શકરૂપે નર્મદા સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. હરીશચંદ્ર ભટ્ટ, અત્રેની યુનિવર્સિટીના ગ્રંથપાલ અને કુલપતિના OSD એવા શ્રી રવીન્દ્ર કાલે અને સભ્યસચિવરૂપે તથા માર્ગદર્શકરૂપે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકના સંયોજક સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા હતા. સંકલનકર્તા તરીકે રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર રાહુલ ત્રિવેદીએ કામગીરી કરી હતી. સમગ્ર બેઠકનું મંચ સંચાલન અત્રેના JRF શોધછાત્ર મોહિત પાઠકે કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande