સોમનાથ પ્રભાસ પાટણમાં અષાઢી બીજની ઉજવણી પ્રસંગે, પાંચ હજાર સમાજ ના લોકોને માલપુઆનો મહાપ્રસાદ
ગીર સોમનાથ, 28 જૂન (હિ.સ.) પ્રભાસ પાટણ ખાતે નાના કોળી સમાજ દ્વારા વર્ષો ની પરંપરા મુજબ અષાઢી બીજ મા માલપુઆ નો પ્રસાદ બનાવવા મા આવે છે. જેના માટે વહેલી સવાર થી આઠ થી દસ મોટી કડાય મા માલપુઆ બનાવવા ની શરૂઆત કરવામાં આવે છે અને આખા દિવસ દરમિયાન આ કામગીરી
સોમનાથ પ્રભાસ પાટણમાં


ગીર સોમનાથ, 28 જૂન (હિ.સ.) પ્રભાસ પાટણ ખાતે નાના કોળી સમાજ દ્વારા વર્ષો ની પરંપરા મુજબ અષાઢી બીજ મા માલપુઆ નો પ્રસાદ બનાવવા મા આવે છે. જેના માટે વહેલી સવાર થી આઠ થી દસ મોટી કડાય મા માલપુઆ બનાવવા ની શરૂઆત કરવામાં આવે છે અને આખા દિવસ દરમિયાન આ કામગીરી શરૂ રહે છે અને આ માલપુઆ ને મીની ટ્રેકટર મા ભરી અને નાના કોળી સમાજ ની ઓફીસે સ્ટોર કરવામાં આવે છે અને રાત્રી ના પાંચ હજારથી વધુ લોકો આ મહાપ્રસાદ પીરસવામાં આવે છે. આ મહા બીજ ના પર્વ નિમિત્તે સમાજ ના આગેવાનો પણ આ મહા બીજ ઉત્સવ મા હાજરી આપેલ હોય છે તેમજ રાત્રીના રામદેવપીર ના મંદિરે પાટોત્સવ રાખવામાં આવે છે, જ્યાં ભજન સત્સંગ કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા નાના કોળી સમાજ ના પ્રમુખ પ્રવિણભાઈ ચુડાસમા, ઉપ પ્રમુખ કેતનભાઈ પરમાર, ખજાનચી જગદીશભાઈ વાજા આગેવાન વજુભાઈ ગઢીયા, આગેવાન જીતુભાઈ કામળીયા અને મહિલા સમિતિ ના હિરૂબેન ગરેજા ના માર્ગદર્શન હેઠળ સમજ ના યુવાનો સ્વયમ સેવકો અને જહેમત ઉઠાવે છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande