ભુલકાઓને રંગેચંગે શાળા પ્રવેશ કરાવતા શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ બળવંતરાય મિસ્ત્રી, વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીના નિયમો અનુસરવા શપથ લીધા
જૂનાગઢ 28 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યના તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોઈ પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુ સાથે કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક
બાંટવા ખાતે શહેરી વિકાસ વિભાગના નાયબ


જૂનાગઢ 28 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યના તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોઈ પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુ સાથે કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં બીજા દિવસે બાંટવા ખાતે શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવબળવંતરાય મિસ્ત્રીએ ભૂલકાઓને રંગેચંગે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

પ્રાસંગીક ઉદબોધનમાં સચિવએ જણાવ્યું હતું કે, રાજ્ય સકરકારના આ ભગીરથ કાર્યક્રમથી અવિરત પણે જ્ઞાનની ગંગા બે દાયકાથી વહિ રહી છે, ત્યારે નવી આશા ઉમંગ સાથે ભુલકાઓ પ્રવેશ મેળવે અને વાલીઓના સહકારથી ઉતરોતર પ્રગતિ કરે તેમજ સમાજમાં રહેલા કુરીવાજો, વ્યસન વગેરે બાબતે પ્રેરણા સ્ત્રોત બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

સચિવ દ્વારા માર્ગ સલામતી વિશે બાળકોને અવગત કર્યા હતા. વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીના નિયમો અનુસરવા શપથ લીધા હતાં.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના અનુસંધાને આરોગ્ય ટીમ દ્વારા બાળકોને આરોગ્ય સંભાળ માટે માહિતગાર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢનાં બાંટવામાં પ્લોટ બાંટવા પ્રાથમિક શાળા, સરકારી હાઈસ્કુલ, બાંટવા પે. સે. શાળા, કન્યા વિનય મંદિર અને ગુજરાતી કન્યા શાળા બાંટવા આ શાળા ખાતે બાલવાટીકાં, ધોરણ ૧, ૯ અને ૧૧માં કુલ ૯૧ બાળકોને મહાનુભાવો દ્વારા કીટ અર્પણ કરી પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે શાળામાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ સાથે એન.એમ.એમ.એસ, પરીક્ષા અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપનો લાભ મેળવેલ વિદ્યાર્થીઓ અને શાળામાં ૧૦૦% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમના પ્રારંભે દિપ પ્રાગટ્ય કરી બાળકો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. શાળાના વિદ્યાર્થીઓએ બેટી બચાવો, બેટી પઢાવો અને પર્યાવરણ જાળવણીના વિષય પર પોતાનું વકતવ્ય આપ્યુ હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે બાંટવા ચિફ ઓફિસર, તાલુકા શિક્ષણ અધિકારી શિક્ષક સંધના પ્રમુખ પદાધિકારીઓ, શાળાના આચાર્ય શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande