પોરબંદર, 28 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં અષાઢી બીજના દિવસે હત્યાની ઘટના બનતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામા આવી છે.ચાર શખ્સોએ હત્યા કરી હોવાની ફરીયાદ નોધાઇ છે પ્રેમ સંબધના મનદુઃખને લઇ યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યો છે.
રાણાવાવ તાલુકાના મોકર ગામે રહેતા રાજુ દાના કોડીયાતર નામના 25 વર્ષીય યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામા આવી હતી આ બનાવને લઇ ભારે ચર્ચા જોવા મળી રહી છે હત્યાના બનાવ અંગે મૃતક રાજુ દાના કોડીયાતરની બહેન ભીખુબેન દાનાભાઈ કોડીયાતરે એવી ફરીયાદ નોધાવી છે. કે તેમના ભાઈ રાજુ બધા વેજા કોડીયાતરની દિકરીને થોડા દિવસ પૂર્વે ભગાડી ગયો હતો તે પછી તે પરત ઘરે પરત ફર્યો હતો યુવતીને ભગાડી જવાના મનદુ:ખને લઇ યુવતિનો પિતા બધા વેજા કોડીયાતર તેમજ સાગા કારા કોડીયતર,હિરા ગલા કોડીયતર તેમજ વેજા કરશન કોડીયતર સહિતા શખ્સો ઘરે ઘસી આવ્યા હતા અને તિક્ષ્ણ હથિયાર વડે ઘરનુ બારણુ તોડી નાંખ્યુ હતુ હુમલો થવાની બીકે રાજુ પેર્ટી પલંગમા છુપાય ગયો હતો તેમને બહાર કાર્ટી લોખંડના પાઇપ અને લાકડી વડે અડેધડ માર મારી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો રાજુને બચાવા વચ્ચે પડેલા તેમના બહેન ભીખુબેન તેમજ લીલુબેનને ધકકો મારી પાછાડી દઈ અને ઇજા પહોંચાડી હતી બીજી તરફ આ બનાવની જાણ થતા રાણાવાવ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો અને હત્યા કરી નાશી છુટેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી પ્રેમ સંબધમા યુવાનની હત્યા થતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya